અમેરિકન મુસ્લિમ દંપતિએ મહાદેવજીના મંદિરમાં હિન્દુ વિધિ પ્રમાણે કર્યા લગ્ન

122

નવી દિલ્હી,તા.19 સપ્ટેમ્બર 2022,સોમવાર : ભારત ફરવા માટે આવેલા એક અમેરિકન મુસ્લિમ દંપતીને ભારતની હિન્દુ સંસ્કૃતિ એટલી હદે પ્રભાવિત કરી ગઈ હતી કે તેમણે બધા લોકો આશ્ચર્યમાં મુકાઈ જાય તેવુ પગલુ ભર્યુ હતુ.આ કપલે યુપીના જૌનપુર ખાતે આવેલા ત્રિલોચન મહાદેવ મંદિરમાં પૂજારીની હાજરીમાં મંત્રોચ્ચાર વચ્ચે સંપૂર્ણપણે શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કર્યા હતા.

અમેરિકન મૂળના મુસ્લિમ દંપતિ કિયામહ દીન ખલીફા અને કેશા ખલીફા ભારત ફરવા માટે આવ્યા છે.વારાણસીના ગંગા કિનારા તેમજ મંદિરો ફરીને તેઓ ભારે પ્રભાવિત થયા હતા અને તેમણે હિન્દુ રીવાજ પ્રમાણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. એ પછી કપલે શનિવારે મંદિરમાં અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરીને લગ્ન કર્યા હતા.આ પહેલા જોકે દંપતિ મુસ્લિમ રીવાજ પ્રમાણે નિકાહ પણ કરી ચુકયુ છે. દીન ખલીફાએ કહ્યુ હતુ કે, મારા નવ બાળકો પણ છે. જોકે હિન્દુ ધર્મથી મને માનસિક શાંતિ મળી રહી છે તેવુ મને લાગી રહ્યુ છે.દીન ખલીફાનુ એવુ પણ કહેવુ હતુ કે, હું ભગવાન સાથે જોડાણ થાય તેવુ ઈચ્છતો હતો અને મને લાગે છે કે, હિન્દુ ધર્મને ફોલો કરીને આપણે આ કનેક્શન જોડી શકીએ તેમ છે.

Share Now