અમદાવાદ : શહેરના રાણીપ વિસ્તારમાંથી ચાલતા બોગસ બિલિંગના અંદાજે રૂપિયા 10 હજાર કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં મુખ્ય આરોપીઓ બહાર ફરી રહ્યાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે તેમને માત્ર સમન્સ આપીને બધુ દબાવી દેવાનો ખેલ ખેલાયાનું CGST વિભાગમાં જ ચર્ચાઇ રહ્યું છે.બોગસ કંપનીઓ ઉભી કરીને માત્ર કાગળ પર બિઝનેસ બતાવીને અંદાજે 72 કરોડ રૂપિયાની આઇટીસી લઇ લેવાના કૌભાંડનો આંકડો હજુ ઉપર જાય તેવી શક્યતા છે આ કેસમાં CGST દ્વારા ભરત ભગવાનદાસ સોનીની ધરપકડ કરવામાં આવી છે,જેને પોતાની પુત્રી અને જમાઇઓના નામે બોગસ પેઢીઓ ઉભી કરી હતી અને સોના-ચાંદીના દાગીનાના બોગસ બિલો બનાવીને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે.
માસ્ટર માઇન્ડ કેમ બહાર ફરી રહ્યાં છે ?
કરોડો રૂપિયાના કૌભાંડના માસ્ટર માઇન્ડ કોઇ અન્ય હોવા છંતા અધિકારીઓ આખ આંડા કાન કરી રહ્યાં છે,કૌભાંડીઓ બહાર ફરી રહ્યાં છે ભરત સોની આરોપી છે પરંતુ તેના કરતા મોટા કૌભાંડીઓ બહાર ફરી રહ્યાં છે.આ ઉપરાંત કેટલાક અધિકારીઓ વચ્ચે પણ આ કેસને લઇને ઘર્ષણ ચાલી રહ્યું હોવાની માહિતી સામે આવી છે.
ચર્ચાઇ રહ્યું છે કે આ કેસમાં મોટો વહીવટ એક અધિકારીએ કરી લીધો છે,કરોડો રૂપિયાનું કૌભાંડ હોવાથી આ કેસની તપાસ સીબીઆઇ કરે તો CGST ના કેટલાક અધિકારીઓ સુધી રેલો પહોંચે તેમ છે,મોબાઇલ ચેટ,વ્હોટસએપ કોલિંગની વિગતોની જો ઉંડી તપાસ થાય તો આ કૌભાંડમાં જે જે લોકોની સંડોવણી છે તેમનો પર્દાફાશ થાય તેમ છે.
કરોડો રૂપિયાના કૌભાંડમાં રિકવરી માત્ર નામની
અગાઉ પણ આવા જીએસટીના બોગસ બિલિંગના અનેક કેસ સામે આવ્યાં છે અને આરોપીઓ થોડા સમય પછી ફરીથી બોગસ બિલિંગનો ધંધો શરૂ કરી દેતા હોય છે.સૌથી નવાઇના વાત એ છે કે અધિકારીઓ હજારો કરોડમાં કૌભાંડનો આંકડો બતાવે છે પરંતુ અંતે આવા કેસમાં રિકવરીની વાત કરીએ તો તે આંકડો ઘણા કિસ્સાઓમાં 20 ટકા પણ નથી હોતો,કરોડોના કૌભાંડના આંકડાઓથી વિભાગની વાહવાહી થાય છે પરંતુ સરકારને ટેક્સનો કોઇ મોટો ફાયદો થતો નથી.