– નૈતિક,કલ્પેશ,મીઠાવાલા,વહોરા,ટાટા,સમીર સહિતના કૌભાંડીઓના નામે આઇજીએસટી અને પીએમઓમાં ફરીયાદ થઇ હોવાનું જાણવા મળ્યું છે
સુરત, તા.૦7 : અમવાદા ખાતે ઓફિસો ખોલી સમગ્ર ગુજરાતમાં બોગસ બિલિંગ કૌભાંડનો કાળો બજાર ઉભા કરનારા કૌભાંડીઓને બોગસ આઇસી પર કરોડોની ઇન્પુટ/આઉટપુટ બતાવી ટેક્ષની રકમ કરોડો પાર કરી હોવા છતાં કાયદાનું ડર ન હોય તેમ લાગી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના કૌભાંડીઓના ગોડફાધર ગણાતા ઇસમે રેલો આવવાની બીકે અધિકારી સાથે મામલો બારોબાર રફે દફે કરવા ધમ પછાડા કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.હોન્ડા કંપનીની કારમાં બે જીએસટી અધિકારીઓને એસ.જી રોડ ખાતે આવેલ એક હોટેલમાં બંધ બારણે મીટીંગ કરી હોવાનું અને તપાસનો રેલો કૌભાંડીઓ સુધી ન પહોંચે તે માટે મોટા પાયે વહિવટ કરાયો હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.
જીએસટી બોગસ બિલિંગ કૌભાંડમાં અમદાવાદ ખાતે પાલડીમાં રહેતા મુનીર રૂસનઇવાલાએ પોતાના મળતિયાઓ સાથે મળી અમદાવાદ,સુરત,વડોદરા,ભાવનગર,રાજકોટ,જામનગર અને કચ્છ-ભુજ સહિત આખા ગુજરાતભરમાં પોતાનું નેટવર્ક જમાવી બેઠો હોય તેમ જાણવા મળી રહ્યું છે.મળતી માહિતી મુજબ મુનીર રૂસનઇવાલાએ પાલડી ખાતે આવેલ એક ઓફિસમાં અન્ય ઇસમની આઇસીનું પાસર્વડ હેક કરી કરોડો રૂપિયાના ખોટા બીલોના ઉન્પુટ/આઉટપુટ બતાવી ૯ ટકા લેખે લોકો પાસેથી રોકડા રૂપિયા ઉસેટી ૧૮ ટકા જીએસટીના બીલો બનાવી આપી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.શક્તિ નામની એક કંપનીમાં અંદાજીત ૩૦ કરોડથી વધુના બોગસ બીલો બનાવ્યા હોવાની વિગતો સપાટીએ આવી છે.ભાવનગરના એક મહા કૌભાંડીની સાથે મળી સમગ્ર ગુજરાતમાં બોગસ ઓફિસો અને કંપનીઓની માયાજાળ ફેલાવી છે.મુનીર દ્વારા તેના મળતીયા નૈતીક,કલ્પેશ,સમીર મીઠાવાલા,વ્હોરા જેવા અનેક કૌભાંડીઓ સાથે મળી સરકારને કરોડો રૂપિયાનું નુકશાન પહોચાડવા કોઇ કસર બાકી રાખી નથી. સીજીએસટીની ટીમ દ્વારા મુનીરને દબોચવામાં આવે તો કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેમ છે.