ગુજરાતમાં કોરોના પોઝિટિવની સંખ્યા 110 પોઝિટિવ કેસની સંખ્યા નોંધાઈ છે. આજે ભાવનગરમાં બે કેસ પોઝિટિવ નોંધાયા છે જ્યારે સુરતમાં એકનું મોત થતાં કોરોનાથી કુલ મોતનો આંકડો 11 પર પહોંચ્યો છે. હજુ આ કેસની સંખ્યા વધશે.
( 5 એપ્રિલ 2020 સવારે 9 વાગ્યા સુધીની અપડેટ )
દિલ્હીના મરકજમાં ગયેલા વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. 60 વર્ષીય વૃદ્ધનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લા 14 સેમ્પલમાંથી 13ના રિપોર્ટ નેગેટિવ, 1 પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા 111 થઇ ગઈ છે.
( 5 એપ્રિલ 2020 સવારે 8 વાગ્યા સુધીની અપડેટ )
ભાવનગરમાં કોરોનાના વધુ 2 કેસ પોઝિટિવ આવ્યાં
34 વર્ષના મહિલા, 26 વર્ષના પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ
બંને દર્દીઓ મૃતક વૃદ્ધના સંપર્કમાં આવ્યા હતા
ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યાનો આંકડો 110 સુધી પહોંચી ગયો છે. ભાવનગરમાં કોરોનાના વધુ 2 કેસ પોઝિટિવ આવ્યાં છે. જેમાં 34 વર્ષના મહિલા, 26 વર્ષના પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યોં છે. બંને દર્દીઓ મૃતક વૃદ્ધાના સંપર્કમાં આવ્યાં હતા.
રાજ્યમાં કોરોનાથી થયેલા મોતની સંખ્યામાં વધારો
સુરતમાં કોરોના પોઝિટિવ વ્યક્તિનુ મોત
રાજ્યમાં કોરોનાથી કુલ મોતની સંખ્યા 11 થઈ
રાજ્યમાં કોરોનાથી થયેલા મોતની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આજરોજ સુરત ખાતે કોરોના પોઝિટિવ વૃદ્ધાનું મોત નિપજ્યું છે. આમ સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજતાં રાજ્યમાં કુલ મોતની સંખ્યા 11 પર પહોંચી ગઇ છે.
ગુજરાતમાં ‘કોરોના’ના 110 કેસ
અમદાવાદ 45 કેસ (5ના મોત)
સુરત 13 કેસ (1નું મોત)
ગાંધીનગર 13 કેસ
ભાવનગર 11 કેસ (2ના મોત)
રાજકોટ 10 કેસ
વડોદરા 9 કેસ (1નું મોત)
પોરબંદર 3 કેસ
ગીર સોમનાથ 2 કેસ
પંચમહાલ 1 કેસ (1નું મોત)
કચ્છ 1 કેસ
મહેસાણા 1 કેસ
પાટણ 1 કેસ
( 4 એપ્રિલ 2020 રાતે 12 વાગ્યા સુધીની અપડેટ )
કોરોના વાયરસના શનિવારે કુલ 3 કેસ નોંધાયા
અમદાવાદમાં 2 અને સુરતમાં 1 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાના કુલ 108 કેસઃ જયંતિ રવિ
કુલ 3 કોરોનાના કેસ નોંધાયા છે. લોકલ ટ્રાન્સમિશનના કારણે આ કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં અમદાવાદના 25 વર્ષના યુવકનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો અને બીજો પણ અમદાવાદના 46 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. જ્યારે સુરતના 61 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જીલ્લાનું નામ પોઝિટિવ કેસ સાજા થયા મૃત્યુઆંક
અમદાવાદ 45 5 5
ભાવનગર 9 0 2
ગાંધીનગર 13 3 0
ગીર સોમનાથ 2 0 0
પાટણ 1 0 0
કચ્છ 1 0 0
પંચમહાલ 1 0 1
મહેસાણા 1 0 0
પોરબંદર 3 0 0
રાજકોટ 10 1 0
સુરત 13 3 1
વડોદરા 9 2 1
કુલ 108 14 10
પતરા લગાવીને પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. આ સાથે જ ક્લસ્ટર કોરન્ટાઇન કરેલી સોસાયટીના રહીશો માટે જીવન જરૂરિયાતની આવશ્યક વસ્તુઓ મનપા દ્વારા પહોંચાડવામાં આવશે.