નવી દિલ્હી, તા. 1 : બિહારના સીવાન જિલ્લાના પૂર્વ સાંસદ મોહમ્મદ શહાબુદ્દીનનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે.જેલમાં બંધ રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના પૂર્વ સાંસદ શહાબુદ્દીને પહેલી મેના રોજ દિલ્હી ખાતેની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દિલ્હીની તિહાડ જેલના કેદી શહાબુદ્દીનને 20 એપ્રિલના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 2-3 દિવસ પહેલા તેમને ICUમાં ખસેડવામાં આવ્યા હતા.
શહાબુદ્દીન અને તેજાબ કાંડ
2004ના વર્ષમાં ચંદા બાબૂ નામની એક વ્યક્તિના 3 દીકરાઓનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તે પૈકીના બેની તેજાબ વડે નવડાવીને હત્યા કરવામાં આવી હતી.બચી ગયેલો એક યુવક ભાગી જવામાં સફળ રહ્યો હતો અને બાદમાં ચંદા બાબૂએ શહાબુદ્દીન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં બચી ગયેલા યુવાને સાક્ષી આપી હતી. 2015માં તે યુવકની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં શહાબુદ્દીન અને તેના દીકરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
2005માં નીતિશ કુમારની સરકાર આવી ત્યારથી શહાબુદ્દીન સાણસામાં ફસાયો હતો અને દિલ્હીથી તેની ધરપકડ કરવામાં આવી હતી.તેના વિરૂદ્ધ હત્યા અને અપહરણના 39 કેસ નોંધાયેલા હતા જે પૈકીના 38 કેસમાં જામીન મળી ચુક્યા હતા અને 39મો કેસ ચંદા બાબૂના દીકરાઓની હત્યાનો હતો.કોરોના વાયરસથી સંક્રમિત રાષ્ટ્રીય જનતા દળના પૂર્વ સાંસદ મોહમ્મદ શહાબુદ્દીનના મોતની ખબરને તિહાડ જેલ પ્રશાસને અધિકારીક પુષ્ટિ કરી છે.ઉમરકેદની સજા કાપી રહેલા બાહુબલી શહાબુદ્દીનની દિલ્હીના પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.સારવાર દરમ્યાન શાહબુદ્દીનનું મૃત્યુ થયું હોવાનું જેલ સત્તાધીશે જણાવ્યું હતું.તિહાડ જેલના DG સંદીપ ગોયેલ આ બાબતે કહ્યું હતું કે દિલ્હી ડીડીયુ હોસ્પિટલમાં એડમિટ પૂર્વ સાંસદ શાહબુદ્દીનનું કોરોનાને કારણે મૃત્યુ થયું હોવાનું તેમને જણાવ્યું હતું.
આઈસીયુમાં ભરતી હતા શહાબુદ્દીન
20 એપ્રિલના રોજ શહાબુદ્દીનના હાલત અચાનક બગડ્યા બાદ કોરોના વાયરસથી સંક્રમિત થયાની જાણ થઈ હતી.લક્ષણો જોવા મળતા કોરોના તપાસ કરાવી અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો.ત્યારબાદ શાહબુદ્દીન તરત તિહાડ જેલના ડોક્ટરોની નિગરાણીમાં સોંપી દેવાયો.જો કે જ્યારે શાહબુદ્દીનની તબિયત ન સુધરતાં આજે શાહબુદીને હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.
હત્યાના કેસમાં તિહાડ જેલમાં સજા કાપી રહ્યો હતો બાહુબલી
મોહમ્મદ શાહબુદ્દીન હત્યા કેસમાં દિલ્હીની તિહાડ જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો હતો.શાહબુદ્દીન વિરુદ્દ ત્રણ ડઝનથી વધુ કેસ ચાલુ હતા. 15 ફેબ્રુઆરી 2018ના રોજ સુપ્રીમ કોર્ટે તેને બિહારની સીવાન જેલથી તિહાડ લાવવાનો આદેશ આપ્યો હતો.