HM EXCLUSIVE : ગુજરાત સરકારના મંત્રીમંડળમાં જાણો આ વખતે હર્ષ સંઘવી સહિત કોને મળશે કયું ખાતું !

HM News
4 Min Read

– ગુજરાત સરકારના શપથ વિધિ સમારોહમાં 8 કેબિનેટ મંત્રીઓએ,2 રાજ્ય કક્ષા (સ્વતંત્ર) અને,6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ ગુજરાતમાં નવી સરકારની રચના કરવામાં છે.
ભૂપેન્દ્ર પટેલે સતત બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.ભુપેન્દ્ર પટેલની સાથે ઘણા ધારાસભ્યોએ પણ કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે.જેમાં ફરીવાર સુરત જિલ્લાના ચાર ધારાસભ્યો મળી દક્ષિણ ગુજરાતના પાંચ ધારાસભ્યોને આ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.

અનેક પડકારો વચ્ચે ભાજપે સુરતની તમામ બેઠકો પર ભવ્ય જીત હાંસલ કરતા મંત્રીમંડળમાં ફરી એકવાર સુરતનું વજન વધ્યું છે.આજરોજ ગાંધીનગર ખાતે યોજાયેલ શપથવિધિ સમારોહમાં મજરાના ધારાસભ્ય હર્ષ સંઘવી રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર) તરીકે શપથ લીધા છે તો, કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરીયા,ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અને માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે.સુરત અને દક્ષિણ ગુજરાતને મંત્રીમંડળમાં પ્રભુત્વ મળતા તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.મજુરાના ધારાસભ્ય અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને આ વખતે તેમને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે.ત્યારે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલ પાનસેરીયા 2012માં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા જોકે 2017માં તેમને કાપી આપી વીડી ઝાલાવાડીયાને ટિકિટ આપવામાં આવી હતી.ત્યારે વિધાનસભા 2022 માં ફરીવાર કામરેજ બેઠક પરથી ટિકિટ અપાતા પ્રફુલ પાનસેરીયાએ ભવ્ય જીત હાંસલ કરી મંત્રીમંડળમાં સ્થાન રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્થાન મેળવ્યું છે.આ સાથે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલને પણ ફરીવાર મંત્રી પદ સોંપવામાં આવ્યું છે.અગાઉ તેઓ રાજ્ય પેટ્રોલ કેમિકલ અને કૃષિ મંત્રી હતા.

ગાંધીનગર ખાતે આજરોજ યોજાયેલ શપથ ગ્રહણ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી,ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ઉપરાંત બીજેપીના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ 156 સીટો જીતી છે.કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી હતી,જ્યારે આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી હતી.

અત્રે નોંધનીય છે કે ગત ટર્મમાં સુરતના હર્ષ સંઘવીને ગૃહમંત્રી બનાવ્યા હતા પણ આ વેળા ભાજપ મોવડી મંડળ કેબિનેટના ખાતા ફાળવવામાં નવતર પ્રયોગ લાગુ કરવા જઈ રહી છે,જેમાં મોટા ફરફારો લાગુ કરાઈ એવી શક્યતા છે.આ નવા કેબિનેટની જાહેરાત અગાઉ સંભવિત ખાતા કોને મળશે જેને લઇ ટૂંકમાં જ સસ્પેંશ ખુલશે પરંતુ એ પહેલાં આ મુજબના નામો ચર્ચામાં છે.જેમાં આ પ્રકારે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળના મંત્રીઓને ખાતાની ફાળવણી થઇ શકે છે.

સંભવિત મંત્રીઓને આ ખાતા મળી શકે છે નવા કેબિનેટમાં ..

1. શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ – મુખ્યમંત્રી – ઘાટલોડિયા (અમદાવાદ શહેર)

કેબિનેટ મંત્રીઓ

1. કનુભાઈ દેસાઈ – પારડી (વલસાડ)નાણાં
2. રૂષિકેશભાઈ પટેલ – વિસનગર (મહેસાણા)મહેસુલ શિક્ષણ આરોગ્ય
3. રાધવજી પટેલ – જામનગર ગ્રામ્ય (જામનગર)માર્ગ મકાન નર્મદા પાણી પુરવઠા
4. બળવંતસિંહ રાજપૂત – સિધ્ધપુર (પાટણ) ઉધોગ
5. કુંવરજીભાઈ બાવળીયા – જસદણ (રાજકોટ)પંચાયત
6. મૂળુભાઈ બેરા – જામખંભાળિયા (દેવભૂમિ દ્વારકા) કુષિ.પશુ પાલન
7. ડો. કુબેરભાઈ ડિંડોર – સંતરામપુર (પંચમહાલ) આદિજાતિ વિકાસ
8. ભાનુબેન બાબરિયા – રાજકોટ ગ્રામ્ય મહિલા બાળ આયોગ

રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો)

1. હર્ષ સંઘવી – મજૂરા (સુરત) શહેરી વિકાસ
2. જગદીશભાઈ વિશ્વકર્મા – નિકોલ (અમદાવાદ)ગામ ગૃહ નિર્માણ
નર્મદા શિક્ષણ.ઉચ્ચ શિક્ષણ

રાજ્યકક્ષાના મંત્રીઓ

1. પરષોત્તમ સોલંકી – ભાવનગર ગ્રામ્ય મત્સ્ય ઉદ્યોગ
2. બચુભાઇ ખાબડ – દેવગઢ બારિયા આદિવાસીઓ કલ્યાણ
3. મુકેશભાઈ પટેલ – ઓલપાડ (સુરત) વન અને પયૉવરણ આરોગ્ય
4. પ્રફુલભાઈ પાનશેરિયા – કામરેજ (સુરત) ગૃહમંત્રી નશાબંધી
5. ભીખુસિંહ પરમાર – મોડાસા (અરવલ્લી) પંચાયત
6. કુંવરજી હળપતિ – માંડવી (સુરત) પશુ પાલન

ગત સરકારના આ મંત્રીઓનું પત્તુ કપાયું

ગત ટર્મમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના 10 મંત્રીઓને આ વખતે કેબિનેટ કે રાજ્યકક્ષામાં સ્થાન મળ્યું નથી.જેમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી,ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, માર્ગ-મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી,વન પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી કિરીટસિંહ રાણા,મહિલા મંત્રીઓમાં મનિષા વકિલ અને નિમિષા સુથાર સહિત ગજેન્દ્રસિંહ પરમાર,વિનુ મોરડિયા અને દેવા માલમનું આ વખતના મંત્રી મંડળમાં પત્તુ કપાયું છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *