[weather_data]
Breaking News
TRENDING NEWS

IAS અમિત અગ્રવાલ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના CEO તરીકે નિમણૂક પામ્યાં

[updated_date] [post_views]

Table of Content

બિનેટની નિમણૂક સમિતિએ IAS અધિકારીઓ અમિત અગ્રવાલ અને સુબોધ કુમાર સિંહને અમલદારશાહી ફેરબદલના ભાગરૂપે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ડિરેક્ટર-જનરલ તરીકે નિયુક્ત કર્યા છે.

એમ કર્મચારી મંત્રાલયના આદેશમાં જણાવાયું કે, અમિત અગ્રવાલ અને સુબોધ કુમાર સિંહ બંને છત્તીસગઢ કેડરના IAS અધિકારીઓ છે.ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના અધિક સચિવ અગ્રવાલને ભારત સરકારના વધારાના સચિવના રેન્ક અને પગારમાં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટીના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

હાલમાં સુબોધ કુમાર સિંહ ગ્રાહક બાબતો,ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગમાં વધારાના સચિવ છે.સરકારના આદેશ મુજબ, સુબોધ કુમારની જગ્યાએ પર્યાવરણ,વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના અધિક સચિવ રિચા શર્માને ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગમાં ખસેડવામાં આવ્યા છે.કર્મચારી અને તાલીમ વિભાગમાં અધિક સચિવ રશ્મિ ચૌધરીને કેન્દ્રીય માહિતી આયોગમાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.આર આનંદ જમીન સંસાધન વિભાગમાં વધારાના સચિવ રહેશે,એલએસ ચાંગસન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં વધારાના સચિવ રહેશે અને મનિન્દર કૌર દ્વિવેદી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં વધારાના સચિવ રહેશે

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles