IL&FSની કંપનીને આપેલી રૂ.2060 કરોડની લોનમાં છેતરપિંડી : PNB

HM News
1 Min Read

મુંબઇ : પંજાબ નેશનલ બેંક (પીએનબી) આઇએલ એન્ડ એફએસ તમિલનાડુ પાવર કંપની લિમિટેડ (ITPCL) ના એનપીએ એકાઉન્ટમાં રૂ. 2,060 કરોડની છેતરપિંડી થયાની જાણકારી આપી છે.

જાહેર ક્ષેત્રની બેન્કે કહ્યુ કે,તેણે નક્કી કરાયેલા નિયમો હેઠળ પહેલાથી આ એનપીએ એકાઉન્ટ માટે રૂ. 824.1 કરોડની જોગવાઇ કરી છે.

બેન્કે શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યુ કે,બેન્ક તરફથી આઇટીપીસીએલના લોન એકાઉન્ટમાં રૂ. 2060.14 કરોડની છેતરપીંડિ થયાની જાણકારી રિઝર્વ બેન્કને આપવામાં આવી રહી છે.

આ કંપનીએ નાણાકીય કટોકટીમાં ફસાયેલા આઇએલ એન્ડ એફએસ દ્વારા સ્થાપવામાં આવેલુ એક સ્પેશિયલ પર્પઝ વ્હિકલ છે.તે તમિલનાડુમાં કુડ્ડાલોર ખાતે થર્મલ પાવર પ્રોજેક્ટની કામગીરી સંભાળે છે.ગત મહિને પંજાબ-સિંઘ બેન્કે આ કંપનીના રૂ. 148 કરોડના લોન એકાઉન્ટને ‘ફ્રોડ’ જાહેર કર્યુ હતુ.

એનએસીએલટી સમક્ષ આઇએલ એન્ડ એફએસ દ્વારા રજૂ કરાયેલા એફિડેવિટ અનુસાર એપ્રિલ 2020 સુધીમાં આઇટીપીસીએલ ઉપર તેના ધિરાણકર્તાઓનુ રૂ. 6,700 કરોડનું દેવુ બાકી હતુ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *