By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ISROનું ‘મિશન સૂર્ય’ શું છે? આદિત્ય L-1 ખોલશે સૂર્યના અજાણ્યા રહસ્યો, જાણો મિશનની સંપૂર્ણ માહિતી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ISROનું ‘મિશન સૂર્ય’ શું છે? આદિત્ય L-1 ખોલશે સૂર્યના અજાણ્યા રહસ્યો, જાણો મિશનની સંપૂર્ણ માહિતી
GeneralNational

ISROનું ‘મિશન સૂર્ય’ શું છે? આદિત્ય L-1 ખોલશે સૂર્યના અજાણ્યા રહસ્યો, જાણો મિશનની સંપૂર્ણ માહિતી

HM News
Last updated: 29/08/2023 6:54 AM
HM News
2 years ago
Share
SHARE

– પૃથ્વીથી સૂર્યનું અંતર 1.4 મિલિયન કિલોમીટર છે, એટલે કે તે ચંદ્ર કરતાં 4 ગણું વધુ દૂર
– આદિત્ય L-1 સાત પેલોડ સાથે પહોંચશે ગંતવ્ય સ્થાને

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગ પછી,સૂર્ય મિશન આદિત્ય L1 તૈયાર છે.ગઈકાલે ઈસરોએ જાહેરાત કરી હતી કે, આ મિશન 2 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે શ્રીહરિકોટા,આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે.પૃથ્વીથી સૂર્યનું અંતર 1.4 મિલિયન કિલોમીટર છે,એટલે કે તે ચંદ્ર કરતાં 4 ગણું વધુ દૂર છે.સૂર્ય પર ખૂબ ગરમી છે.આનાથી સ્પષ્ટ થાય છે કે ‘મિશન સન’ મિશન મૂન કરતાં વધુ મુશ્કેલ હશે,આ માટે ઈસરોએ અનેક ગણી વધુ તૈયારીઓ કરવી પડશે.આવી સ્થિતિમાં,સૂર્યના કદ અને તાપમાન જેવી બાબતોને લઈને લોકોના મનમાં વિવિધ પ્રકારના પ્રશ્નો ઉભા થઈ હશે.તો ચાલો આ તમામ પ્રશ્નોના સમાધાન આપણે અહીં મેળવીશું.

આ મિશનનો મુખ્ય ઉદેશ્ય ?

આદિત્ય L-1 એ ભારતનું પ્રથમ સૂર્ય મિશન છે.તેને લોન્ચ કરીને ભારત સૌર વાતાવરણની ગતિશીલતા એટલે કે ક્રોમોસ્ફિયર અને કોરોનાનો અભ્યાસ કરવા માંગે છે.આ સાથે, તે કોરોનામાંથી મોટા પ્રમાણમાં ઉર્જા મુક્ત થવાના રહસ્યો પણ ખોલવા માંગે છે.વધુમાં, આદિત્ય L-1 દ્વારા, ISRO આંશિક રીતે આયોનાઇઝ્ડ પ્લાઝ્માના ભૌતિકશાસ્ત્ર અને અવકાશ હવામાનની ગતિશીલતા પર માહિતી એકત્ર કરવાનો ઇરાદો ધરાવે છે.તેની સાથે જ, તે સૌર વાતાવરણમાંથી પ્લાઝ્મા અને ચુંબકીય ક્ષેત્રોના મોટા પાયે વિસ્ફોટનો અભ્યાસ કરવાનો ઇરાદો ધરાવે છે.

કેટલો સમય લાગશે?

આદિત્ય L-1 લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂર સ્થિત સૂર્યના રહસ્યો જાહેર કરશે.લેંગ્રેસ પોઈન્ટ એટલે કે L-1 સુધી પહોંચવામાં ચાર મહિના લાગશે.આદિત્ય L-1ને લેંગ્રેસ પોઈન્ટ નજીક ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.લેંગ્રેસ બિંદુ એ અવકાશમાં એવા બિંદુનો ઉલ્લેખ કરે છે જ્યાં સૂર્ય અને પૃથ્વી જેવા બે અવકાશ સંસ્થાઓના ગુરુત્વાકર્ષણ બળને કારણે આકર્ષણ અને પ્રતિકૂળતાનું ક્ષેત્ર ઊભું થાય છે.તેનું નામ ઇટાલો-ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી જોસેફ-લુઇસ લેંગરેંજના નામ પરથી રાખવામાં આવ્યું છે.

આ મિશનમાં કેટલા પેલોડ હશે?

આદિત્ય L-1 સાત પેલોડ સાથે તેના ગંતવ્ય સ્થાને પહોંચશે.આ પેલોડ્સ દ્વારા,ઈસરોને ફોટોસ્ફિયર,ક્રોમોસ્ફિયર એટલે કે સૂર્યની દૃશ્યમાન સપાટીની બરાબર ઉપરની સપાટી અને કોરોના (સૂર્યનું સૌથી બહારનું પડ)ના અભ્યાસમાં મદદ મળશે.

લોન્ચિંગ જોવા માટે ઈસરોએ આપી રજીસ્ટ્રેશન લિંક

ભારતના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L-1ને લઈને લોકોના ઉત્સાહને જોઈને ઈસરોએ એક લિંક જાહેર કરી છે.આ લિંક https://lvg.shar.gov.in/VSCRegistration/index.jsp દ્વારા લોકો અરજી કરી શકે છે અને શ્રીહરિકોટાની લોન્ચ વ્યૂ ગેલેરીમાંથી લોન્ચ જોઈ શકે છે.ઈસરોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં જ રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે.

આદિત્ય L-1નું બજેટ?

આદિત્ય L-1 મિશનનું બજેટ લગભગ 400 કરોડ રૂપિયા છે.આદિત્ય L-1નું પ્રોડક્શન ડિસેમ્બર 2019થી શરૂ કરવામાં આવ્યું હતું.

ચંદ્રયાન અને આદિત્ય L-1 મિશન વચ્ચે તફાવત

ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ બપોરે 2:35 કલાકે LVM-3 મારફતે શ્રીહરિકોટાના સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.તે 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું.આ સાથે ભારત ચંદ્ર પર સોફ્ટ લેન્ડ કરનાર ચોથો દેશ બન્યો છે. આ સાથે ભારતે બીજી મોટી સિદ્ધિ નોંધાવી છે.ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.જ્યારે ચંદ્રયાન-3 ચંદ્રના રહસ્યો જાહેર કરશે, તો આદિત્ય L-1 સૂર્યના રહસ્યો વિશ્વને જાહેર કરશે.સૂર્યના રહસ્યો ખુલશે, જેનાથી દુનિયા હજુ અજાણ છે.

ખંભાત તોફાન મામલે 102ની ધરપકડ, વોન્ટેડને પકડી પાડવા 5 ટીમ મેદાનમાં
ઊંભેળ ગામે હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ ટ્રકમાંથી 70 લાખથી વધુનો ગાંજો ઝડપાયો, ચાલક વોંટેડ
કોરોનાથી દેશને થયેલા નુકસાનથી જર્મનીએ ચીનને ફટકાર્યું 130 અબજ યુરોનું બિલ
રુબૈયા સઈદને તેના અપહરણના મામલામાં CBI કોર્ટે સમન્સ પાઠવ્યું
વીજચોરીના કેસ દાખલ ન કરવા માગી રૂ. 2.60 લાખની લાંચ, રાજકોટ ACBએ છટકુ ગોઠવી ઝડપી પાડ્યાં
Share This Article
Facebook Email Print
Previous Article બ્રિટનમાં જધન્ય હત્યારાઓ માટે આજીવન કેદ ફરજિયાત બનાવાશે
Next Article મણિપુરમાં આજે વિધાનસભા સત્ર યોજાશે, બે મંત્રીઓ સહિત 10 ધારાસભ્યોએ કરી બહિષ્કારની જાહેરાત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up