– આઉટસોસિગમાં અવરોધો: ડિમાન્ડમાં ભયંકર ઘટાડો
દેશમાં અને વિદેશમાં પણ ફેલાયેલી મહામારી ને પગલે દેશના ઇન્ફર્મેશન ટેકનોલોજી એટલે કે આઇટી સેકટરમાં ભયંકર મંદી ફેલાઈ ગઈ છે અને આઈટી કંપનીઓ આર્થિક સંકડામણમાં મુકાઈ ગઈ છે.
મહામારી ફેલાઈ જતા હવે ડિમાન્ડમાં ભયંકર ઘટાડો થયો છે અને પરિણામે આઈટી કંપનીઓ ના કુલ ૩૦ અબજ ડોલર જેટલા રીન્યુઅલ સોદા જોખમમાં મુકાઇ ગયા છે.
આઇટી સેકટરના સંચાલકોએ પોતાની આ પીડા સરકારને જણાવી દીધી છે અને મદદ કરવા માટે અપીલ કરી છે. આઈટી કંપનીઓ ના આઉટસોસિગ સોદા અચાનક બધં થઈ ગયા છે કારણકે મહામારી ને પગલે ડિમાન્ડમાં ઘટાડો થયો છે અને આગામી ત્રણ માસ સુધી આ સેકટરમાં નેગેટિવ અસર ચાલુ રહેવાની આગાહી થઈ છે.
આઉટસોસિગ સોદા બધં પડી જતા ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે સંકળાયેલા લાખો કર્મચારીઓ પણ મુસીબતમાં મૂકાયા છે અને કંપનીના સંચાલકો તો ભારે આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છે.
આગામી ત્રણ માસ દરમિયાન પણ આઇટી કંપનીઓની હાલત અત્યતં ખરાબ રહેવાની ધારણા છે અને તેને પગલે કેન્દ્ર સરકારને અને સંબંધિત મંત્રાલયને મદદ કરવા માટે અપીલ કરવામાં આવી છે