By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: LICએ 16 નવી કંપનીમાં રોકાણ કર્યું, 43 કંપનીમાં હિસ્સો વધાર્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > LICએ 16 નવી કંપનીમાં રોકાણ કર્યું, 43 કંપનીમાં હિસ્સો વધાર્યો
BusinessGeneralNational

LICએ 16 નવી કંપનીમાં રોકાણ કર્યું, 43 કંપનીમાં હિસ્સો વધાર્યો

HM News
Last updated: 06/07/2020 5:45 AM
HM News
5 years ago
Share
SHARE

જાન્યુઆરી ૨૦૨૦માં સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યા પછી સેન્સેક્સ ૨૪ માર્ચે ચાર વર્ષના નીચલા સ્તરે ગબડ્યો હતો. જાન્યુઆરી- માર્ચના ગાળામાં સેન્સેક્સ ટોચથી ૪૦ ટકા તૂટ્યો હતો અને શેરબજાર મંદીમાં આવી ગયું હતું. અર્થતંત્રોને ઉગારવા મોટા ભાગના દેશોએ રાહત પેકેજ જાહેર કર્યા હતા. વિવિધ સેન્ટ્રલ બેન્કોએ સિસ્ટમમાં પ્રવાહિતા ઉમેરતાં તેનો કેટલોક ભાગ શેરબજારમાં પણ આવ્યો હતો અને જૂનથી લોકડાઉન હળવું થવાથી સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર થઈ હતી. જેને પગલે સેન્સેક્સ ઘટ્યા મથાળેથી લગભગ ૩૫ ટકા સુધરી ગયો, જે જાન્યુઆરીની સરખામણીએ હવે માત્ર ૧૩ ટકા જ નીચો છે. એનો અર્થ એ થયો કે અત્યારે સેન્સેક્સ મંદીના તબક્કામાંથી બહાર આવી ગયો.

મહત્ત્વનું એ છે કે શેરબજારમાં જ્યારે ગભરાટનો માહોલ હતો ત્યારે સામા પવને શેરો કોણે ખરીદ્યા? પ્રાપ્ત ડેટા અનુસાર સ્થાનિક ફંડો ખાસ કરીને LICએ ૧૬ નવી કંપનીમાં રોકાણ કર્યું હતું અને ૪૩ કંપનીઓમાં હિસ્સો વધાર્યો હતો. FPIએ ભારતીય શેરબજારમાં જૂનમાં જંગી રોકાણ કર્યું હતું અને એ પ્રવાહિતાએ સેન્સેક્સ-નિફ્ટી સુધર્યા હતા. પરંતુ FPIએ મિડ અને સ્મોલ-કેપ શેરો કરતાં લાર્જ-કેપ અથવા ટોપ-૧૦૦માં વધુ રસ લીધો હતો.

LICએ માર્ચને અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં અને છેલ્લા કેટલાક મહિનામાં લાર્જ-કેપની સાથે મિડ-કેપ શેરોમાં પણ રોકાણ કર્યું હતું. દેશની સૌથી મોટી નાણાંસસ્થાએ કોવિડ-૧૯ને રોકાણની નવી તક ગણી હતી. LICએ તેના પોર્ટફોલિયોમાં જે શેરો ઉમેર્યા હતા તેમાં HCL ટેક્‌નોલોજી, હિન્દુસ્તાન યુનિલીવર, ઇન્ડ્સઇન્ડ બેન્ક, આધુનિક મેટાલિક્સ, અમરા રાજા બેટરીઝ, બિરલા ટાયર, ટાટા કન્ઝયુમર પ્રોડક્ટ સહિતની કંપનીઓનો સમાવેશ થાય છે. સુમિમોટો કેમિકલ્સમાં સૌથી વધુ ૩.૬૮ ટકાનો હિસ્સો વધાર્યો હતો. માર્ચ મહિનો ૨૦૦૮ પછી સૌથી કપરો રહ્યો હતો અને તે સમયે LICએ સામા પ્રવાહે તરવાનો પ્રયાસ કર્યો હતો જેનું ફળ હાલ જોવાઈ રહ્યું છે એમ જણાવીને પ્રાઇમ સ્ટોક્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટના હેડ ગૈરાંગ ગર્ગનું કહેવું હતું કે, LIC અને FPI વચ્ચેના રોકાણમાં તફાવત એ છે કે LIC એક-બે ત્રિમાસિક ગાળાને ધ્યાનમાં રાખીને રોકાણ નથી કરતી. તેનો રોકાણનો સમયગાળો સહેજે બેથી ત્રણ વર્ષનો હોય છે. દર વર્ષે સંસ્થા લગભગ ~૪૦,૦૦૦ કરોડનું રોકાણ ઇક્વિટીમાં કરતી હોય છે અને કોવિડ-૧૯ તેના માટે શ્રેષ્ઠ સમય બની રહ્યો.

ડિસેમ્બર ત્રિમાસિક ગાળાને અંતે નાણાસંસ્થાનું રોકાણ ૩૫૦થી વધુ કંપનીઓમાં હતું અને માર્ચ ત્રિમાસિક ગાળાને અંતે લગભગ ૪૩ કંપનીઓમાં રોકાણ વધાર્યું છે તેમ ઓમ ઇન્વેસ્ટમેન્ટના ઇન્વેસ્ટમેન્ટ એડ્વાઇઝર હિતેષ મહેતા જણાવે છે. ભારતીય શેરબજારમાં LIC સૌથી મોટા રોકાણકાર પૈકી એક છે. હાલ વિદેશી રોકાણકારોનો હિસ્સો ૨૨-૨૩ ટકા આસપાસ હોવાનું માનવામાં આવે છે. LICનો પણ હિસ્સો પણ આટલો જ હોઈ શકે છે. LICની ખાસિયત એ છે કે તે મિડ અને સ્મોલ-કેપ સેગમેન્ટની પણ કેટલીક કંપનીઓમાં રોકાણ ધરાવે છે. LICએ જે શેરોમાં વધુ હિસ્સો હસ્તગત કર્યો છે તેમાં અદાણી પોર્ટ, અશોક લેલેન્ડ, ભારત ફોર્જ, ભારતી ઇન્ફ્રાટેલ, કોલગેટ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

LICએ ત્રિમાસિક ગાળામાં વિવિધ સેગમેન્ટમાં રોકાણ કર્યું હતું. ફાર્મા, ઓટો, FMCG, કન્ઝયુમર ડ્યુરેબલ, એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રકચર, કન્સ્ટ્રક્શનનો સમાવેશ થાય છે. ભવિષ્યમાં જે સેક્ટરમાં વધુ ગ્રોથની આશા છે તેવાં સેક્ટર ફોકસમાં રહ્યાં હતાં એમ વધુમાં મહેતાએ કહ્યું હતું. જોકે, આ ગાળામાં LICએ ૪7 શેરોમાં હિસ્સો હળવો કર્યો હતો એટલે કે શેરો વેચ્યા હોવાનું પણ રિપોર્ટમાં જોવાયું છે. જ્યારે માર્ચ ત્રિમાસિક ગાળાને અંતે ૧૮૬ કંપનીઓમાં રોકાણ યથાવત્ રહ્યું હતું. માર્ચ ત્રિમાસિક ગાળો અત્યંત પડકારજનક રહ્યો હોવાથી કંપનીઓની પસંદગી પણ કામગીરી, મેનેજમેન્ટની ક્ષમતા, મજબૂત બેલેન્સ શીટ વગેરેને ધ્યાનમાં રાખીને કરાઈ હતી.

વિતરણ:ટીબીના દર્દીઓને દવાની કિટ અપાઈ
કાળુ નાણુ રાખનારનું નામ જણાવો ને મેળવો પ કરોડ
નેપાળે વિદેશ મંત્રાલયને કરી ફરિયાદ, ઘણી ભારતીય ચેનલો અપમાનજનક કન્ટેન્ટ બતાવી રહી છે
રાજસ્થાનમાં હવે વીજળીના બીલમાં ‘કોરોના’ જેવો ઝટકો લાગશે : હવે રીડીંગ પ્રમાણે બીલો ૪ લાખ લોકોને અપાશે
મિલકતનું ‘ચૂકવણું’ ન કરવાથી દસ્તાવેજ રદ ન થઇ શકે!
Share This Article
Facebook Email Print
Previous Article સરકારે પ્રતિબંધિત સંગઠન SFJ સાથે જોડાયેલી 40 વેબસાઈટ પર મૂક્યો પ્રતિબંધ
Next Article કોરોનાઃ દેશમાં 70% સ્ટાર્ટઅપના બિઝનેસ પર સૌથી ખરાબ અસર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up