By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: NCP ના ઉદય બાદ જ રાજ્યમાં વધ્યો જાતિવાદ, જાણો રાજ ઠાકરેના આ આરોપનો શરદ પવારે શું આપ્યો જવાબ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > NCP ના ઉદય બાદ જ રાજ્યમાં વધ્યો જાતિવાદ, જાણો રાજ ઠાકરેના આ આરોપનો શરદ પવારે શું આપ્યો જવાબ
GeneralNationalPolitics

NCP ના ઉદય બાદ જ રાજ્યમાં વધ્યો જાતિવાદ, જાણો રાજ ઠાકરેના આ આરોપનો શરદ પવારે શું આપ્યો જવાબ

HM News
Last updated: 17/08/2021 6:46 AM
HM News
4 years ago
Share
SHARE

રાજ્યમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ઉદય પછી જ જાતિવાદ વધ્યો છે.આ આરોપ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ થોડા દિવસો પહેલા લગાવ્યો હતો.એનસીપી અધ્યક્ષ શરદ પવારે રાજ ઠાકરેના આ આરોપ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.પત્રકાર પરિષદનું આયોજન કરીને શરદ પવારે કહ્યું કે રાજ ઠાકરેએ પહેલા તેમના દાદા પ્રબોધનકાર ઠાકરેએ લખેલી વાતોને ધ્યાનથી વાંચવી જોઈએ.

રાજ ઠાકરેએ કહ્યું હતું કે જાતિનો મુદ્દો રાજ્યમાં નેતાઓની ઓળખનો મુદ્દો બની ગયો છે.રાજ્યમાં એનસીપીના ઉદય પછી આ મુદ્દો વધુ પ્રબળ બન્યો.રાજ ઠાકરેએ કહ્યું કે જેમ્સ લેન કોણ છે? તે શું બર્નાર્ડ શો છે? તે આજે ક્યાં છે? આ બધું ડીઝાઈન કરવામાં આવ્યું છે.આ કારણોસર શિવાજી મહારાજ સાથે જોડાયેલો ઈતિહાસ ખોટી રીતે લખવામાં આવ્યો હતો.અમુક જાતીના લોકો જ આવુ કૃત્ય કરે છે એમ પણ જણાવાયું.

શું કહ્યું હતું રાજ ઠાકરેએ?

વાસ્તવમાં આ વિવાદની શરૂઆત એક પુસ્તકના કારણે થઈ છે.થોડા વર્ષો પહેલા અમેરિકન લેખક જેમ્સ લેન દ્વારા એક પુસ્તક Shivaji- The Hindu King in Muslim India લખવામાં આવ્યું હતું.આ પુસ્તકમાં દાદાજી કોંડદેવ (બ્રાહ્મણ) શિવાજી મહારાજ સાથે સંબંધિત છે તેમ જણાવવામાં આવ્યું હતું.

આરોપ છે કે જેમ્સ લેનને સાથે રાખીને કેટલાક બ્રાહ્મણોએ તથા તે સમયના કેટલાક લોકોએ પુણેની ભંડારકર સંસ્થાની લાઈબ્રેરીમાંથી આવું સંશોધન પૂરું પાડ્યું અને આવી વસ્તુઓ જેમ્સ લેન પાસે લખાવડાવી.આ પછી સંભાજી બ્રિગેડે (મરાઠા યુવાનોનું સંગઠન) ભંડારકર સંસ્થામાં તોડફોડ કરી.સંભાજી બ્રિગેડ વિશે કહેવામાં આવે છે કે આ સંગઠનને શરદ પવારના આશીર્વાદ પ્રાપ્ત છે.

જ્યારે મનસેના પ્રવક્તા સંદીપ દેશપાંડેને રાજ ઠાકરેના નિવેદનનો અર્થ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે વાત કરતા કહ્યું કે રાજ ઠાકરે બે બાબતો કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે.એક તો એ કે મહારાષ્ટ્રમાં મહાપુરુષોને કોઈ ચોક્કસ જાતી સાથે જોડવાની રાજનીતિ એનસીપીના ઉદયથી શરૂ થાય છે.છત્રપતિ શિવાજી માત્ર મરાઠાઓ માટે જ નહીં,સમગ્ર દેશ માટે છે.પરંતુ કેટલાક વર્ગ તેને પોતાની જાતિ સાથે જોડવા માટે વધુ આક્રમક ભૂમિકા ભજવી રહ્યો છે.

જેમ્સ લેન મુદ્દે મનસેના પ્રવક્તાએ કહ્યું કે રાજ ઠાકરે કદાચ એવું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જો કોઈ વાંધાજનક બાબતો સાધારણ વ્યક્તિ દ્વારા લખવામાં આવી હોય તો તેને અવગણવી જોઈએ.જેમ્સ લેન કોઈ મોટી વાત નથી.પરંતુ જાણી જોઈને એનસીપી (મરાઠા વોટ બેંક ધરાવતી પાર્ટી)એ આ મુદ્દાને ઉછાળ્યો.તેમણે મરાઠા અને બ્રાહ્મણો વચ્ચે અણબનાવ ઉભો કરીને રાજકીય લાભ લીધો.

શરદ પવારના જવાબનો શું અર્થ છે?

રાજ ઠાકરેના નિવેદનથી મહારાષ્ટ્રમાં ચર્ચાઓનું બજાર ગરમ થયું છે.સોમવારે તેમની પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારે આ બે વાક્યોનો જવાબ આપતા રાજ ઠાકરેને તેમના દાદાએ લખેલી વાતો વાંચવા કહ્યું પ્રબોધંકર ઠાકરે સમાજ સુધારક હતા અને બ્રાહ્મણવાદ વિરુદ્ધ હતા.

આ બાબતે સંભાજી બ્રિગેડના પ્રદેશ અધ્યક્ષ પ્રવિણ ગાયકવાડે પણ રાજ ઠાકરે પર ટિપ્પણી કરી છે.તેમણે કહ્યું છે કે “જે રીતે રાજ ઠાકરે બાબાસાહેબ પુરંદરે (બ્રાહ્મણ ચિંતક જેમણે છત્રપતિ શિવાજી મહારાજની વાર્તાઓ લખી હતી અને તેમના વિકાસમાં બ્રાહ્મણોના યોગદાનની સારી રીતે રૂપરેખા આપી હતી)થી આગળનો ઈતિહાસ જાણતા નથી.

તે જ રીતે તેઓ અહીંના રાજકીય,સામાજિક,સાંસ્કૃતિક સંઘર્ષ વિશે પણ કશું જાણતા નથી.રાજકારણમાં કંઈ પણ નવું કર્યા વિના,તેઓ રાજકીય ક્ષેત્રે નિષ્ફળ સાબિત થયા છે અને પોતાના ફાયદા માટે ફરી એક વખત મહારાષ્ટ્રમાં તણાવ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કોરોના સંક્રમિત રેપના આરોપી આસારામ બાપુની તબિયત વધુ બગડી, વેન્ટિલેટર પર રખાયા
રીંગરોડની અન્નપૂર્ણા માર્કેટમાં ત્રણ દુકાનમાં આગ લાગતા ભાગદોડ મચી
મુંબઈગરાંઓ પર પીવાનાં પાણીનું તોળાઈ રહ્યું છે સંકટ, BMC પાસે ઓછો છે સ્ટોક
ઉત્તરપ્રદેશમાં તમામ પક્ષો સમયસર ચૂંટણી ઇચ્છે છે: ચૂંટણી પંચ
ઈકોનોમીની મદદે રશિયાની સેન્ટ્રલ બેંક, વ્યાજદર બમણાં કર્યા
Share This Article
Facebook Email Print
Previous Article જેને લીધે બેંક લોન આપવાની ના પાડી દે છે તે CIBIL સ્કોર વિશે બધું જ જાણો
Next Article ભારતમાં ‘મા’ની સારવાર કરાવી રહી હતી અફઘાન સાંસદ, ભાઈનો મેસેજ આવ્યો અને પગ નીચેથી ખસી ગઈ જમીન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up