By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: NDAમાં ડખા શરૂ : લોજપા બાદ હવે અકાલી દળ પણ ભાજપથી નારાજ, મોદી સરકારની વધશે મુશ્કેલીઓ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > NDAમાં ડખા શરૂ : લોજપા બાદ હવે અકાલી દળ પણ ભાજપથી નારાજ, મોદી સરકારની વધશે મુશ્કેલીઓ
GeneralNationalPolitics

NDAમાં ડખા શરૂ : લોજપા બાદ હવે અકાલી દળ પણ ભાજપથી નારાજ, મોદી સરકારની વધશે મુશ્કેલીઓ

HM News
Last updated: 17/09/2020 8:44 AM
HM News
5 years ago
Share
SHARE

બિહાર વિધાનસભાની ચૂંટણી માથા પર છે ત્યારે એક તરફ લોજપાના ચિરાગ પાસવાન ભાજપ પર નારાજ હતા ત્યારે બીજી બાજુ ખેડૂતો અંગેના કેન્દ્રના નિર્ણયના પગલે એનડીએનો બીજો ઘટક પક્ષ શિરોમણી અકાલી દળ પણ ભાજપ પર નારાજ થઇ રહ્યો હોવાના અણસાર મળ્યા હતા.શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંઘ બાદલે બુધવારે પરોક્ષ રીતે ભાજપને એવી ચેતવણી આપી હતી કે ખેડૂતોનાં હિતોના રક્ષણ માટે અકાલી દળ કોઇ પણ બલિદાન આપવા તૈયાર હતું. સંસદમાં રજૂ થયેલા ખેડૂતો અને ખેતીવાડી અંગેના ત્રણ ખરડાનો ખુલ્લો વિરોધ કરતાં કહ્યું કે મોદી સરકારે ખેડૂતોનાં હિતનો પહેલાં વિચાર કરવો જોઇએ.

સમાધાન ન થાય ત્યાં સુધી સરકારે આ ત્રણ ખરડા મંજૂર ન કરવા

સુખબીર સિંઘ બાદલે કહ્યું હતું કે જ્યાં સુધી વિવિધ ખેડૂત સંઘો અને ખેતમજૂરોને સંતોષ ન થાય અને એમની માગણીઓ અંગે એમને સમાધાન ન થાય ત્યાં સુધી સરકારે આ ત્રણ ખરડા મંજૂર ન કરવા જોઇએ.સરકાર આ ખરડા બહાલ કરશે તો એનાં જે પરિણામો આવે એની જવાબદારી સરકારની પોતાની રહેશે. બાદલે ઉમેર્યું કે આ ખરડા ખેડૂતોનાં હિત વિરોધી હતા.

પ્રસ્તાવો ખેડૂત સંઘેા અને ખેતમજૂર સંઘોને અન્યાયકારી લાગ્યા

સરકારે તૈયાર કરેલા ખરડાનો સાર આ મુજબ છે- 1) ખેડૂતને અનુકૂળ લાગે એવો ભાવ એના પાકનો મળે ત્યાં પોતાનો પાક વેચી શકે એવી તક પૂરી પાડવી, 2) કોઇ પણ નિયંત્રણ વગર ખેતપેદાશોનો આંતરરાજ્ય વેપાર અને 3) ખેતપેદાશોના વેચાણ માટેનું આંતરમાળખું તૈયાર કરવું.આ પ્રસ્તાવો ખેડૂત સંઘેા અને ખેતમજૂર સંઘોને અન્યાયકારી લાગતા હતા. વડા પ્રધાને આત્મનિર્ભર ભારતના પોતાના વિચાર હેઠળ આ પ્રસ્તાવો તૈયાર કરાવ્યા હતા.

કેન્દ્ર સરકારે પોતાના ઘટક પક્ષોને વિશ્વાસમાં લેવા જોઈએ

સુખબીર સિંઘ બાદલે કહ્યું કે આપણે લોકશાહીમાં જીવી રહ્યા છીએ.આ ત્રણ પ્રસ્તાવો તૈયાર કરતી વખતે કેન્દ્ર સરકારે પોતાના ઘટક પક્ષોને વિશ્વાસમાં લેવા જોઇતા હતા.આ તો ઘટક પક્ષો પર પોતાના વિચારો ઠોકી બેસાડવા જેવું થયું.

મુંબઈના પોલીસકર્મીનો “આયા હૈ રાજા” ગોવિંદા સ્ટાઇલમાં ડાન્સ કરતો વિડિઓ થયો વાઇરલ
દેશમાં કોરોનાની ત્રીજી લહેર નિશ્ચિત છે, રોજના બે લાખ સુધી કેસ સામે આવશે
T-20 વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર : ભારત પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમશે, બંને ટીમ વચ્ચે 23 ઓક્ટોબરે મેલબર્ન સ્ટેડિયમમાં ટક્કર થશે
ધર્મપરિવર્તન કરીને હિન્દુ બનનાર યુવકનુ ઘર સળગાવી દેવાયુ, પાંચની ધરપકડ
હનુમાન ચાલીસાનો પ્રભાવ બદલી દેશે તમારું જીવન,તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે…જાણો શું છે હનુમાન ભક્તિના ફાયદા
Share This Article
Facebook Email Print
Previous Article તમામ હદો પાર…કોંગ્રેસના નેતાએ PM મોદીના જન્મદિવસે કરી અપમાનજનક ટિપ્પણી
Next Article ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જીવનની પ્રેરણાદાયી અને ઐતિહાસિક ઘટનાઓ આધારીત પ્રદર્શનીનું ઉદ્દઘાટન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up