[weather_data]
Breaking News
TRENDING NEWS

NIL GST રિટર્ન ભરતા ધંધાર્થીઓને વધુ રાહત મળશે

[updated_date] [post_views]

Table of Content

નવી દિલ્હી તા. ૧૧ : દેશમાં નીલ જીએસટી રિટર્ન ભરતા ધંધાર્થીઓને માટે સરકાર ટુંક સમયમાં વધુ એક રાહતની જાહેરાત કરી શકે છે.સુત્રો માહિતી આપી છે કે હવે આ ધંધાર્થીઓને દર ત્રિમાસીક ડેકલેરેશન આપવાની વ્યવસ્થા પણ એસ. એમ. એસ.દ્વારા કરી દેવામાં આવશે.

મળતી માહિતી અનુસાર, દરેક ત્રિમાસીક જીએસટીઆર-૧ ફોર્મ ભરવાની સુવિધા એસ.એમ.એસ.દ્વારા શરૂ કરવાની તૈયારીઓ થઇ રહી છે.જેથી નિલ રિટર્નવાળા ધંધાર્થીઓએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદ ન લેવી પડે અને તેમનો ખર્ચ ઘટે.આંકડાઓ અનુસાર, દેશમાં લગભગ રર લાખ ધંધાર્થીઓ એવા છે જેમને આ નવી વ્યવસ્થાથી સીધો લાભ મળશે.અત્યારે જીએસટીઆર-૧ રિટર્ન માટે જીએસટી નેટવર્ક પોર્ટલ પર લોગઇન કરવું જરૂરી છે.તેના માટે ઘણા ધંધાર્થીઓએ સીએની મદદ પણ લેવી પડે છે.નવી વ્યવસ્થા હેઠળ તેમણે સીએની મદદ નહી લેવી પડે.

કોરોના સંકટના આ કાળમાં ધંધાર્થી વર્તમાન પરિસ્થિતિને જોતા નીલ જીએસટીના વર્તુળમાં ઘણા વધારાના ધંધાર્થીઓ આવી જવાની પણ આશંકા દર્શાવાઇ રહી છે આ જ કારણ છે કે સરકાર આ વ્યવસ્થા ઝડપથી લાગુ કરવા જઇ રહી છે જેથી તેમની મુશ્કેલીઓને હલ કરી શકાય સરકારે આ અઠવાડિયે ધંધાર્થીઓને એસ.એમ.એસ.દ્વારા માસિક જીએસટીઆર-૩બી ફોર્મ ભરવાની સુવિધા શરૂ કરી હતી.જેમાં પોતાના જીએસટી નંબર સાથે નીલ લખીને૧૪૪૦૯ નંબર પર મોકલવાનું હોય છે અને ઓટીપી દ્વારા રીટર્ન ભરાયાનું કન્ફર્મ કરવાનું હોય છે.આવી જ વ્યવસ્થા ત્રિમાસીક ડેકલેરેશન માટે કરવાની છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles