વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરી રાજ્યસભાને સંબોધિત કરી છે.આ દરમ્યાન વડાપ્રધાન મોદી ભાવુક થયા હતા.રાજ્યસભાના 4 સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થતાં તેમને વિદાય આપવામાં આવી હતી.આ દરમ્યાન વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદના ભરપૂર વખાણ કર્યા હતા.પીએમ મોદીએ કાશ્મીરમાં ગુજરાતીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટનાને યાદ કરી અને તે સમયે ગુલામ નબી આઝાદે કરેલી મદદને વાગોળી હતી.
આતંકી હુમલાની વાત કરતા કરતા પીએમ મોદીના ગળે ડુમો બાઝી ગયો
આતંકી હુમલાની વાત કરતા કરતા પીએમ મોદીના ગળે ડુમો બાઝી ગયો અને તેઓ ભાવુક થઇ ગયા હતા.પીએમ મોદીએ કહ્યું કે જ્યારે ગુજરાતીઓ પર આતંકી હુમલો થયો ત્યારે મને સૌથી પહેલો ફોન ગુલામ નબી આઝાદનો આવ્યો હતો. તેમણે આતંકી ઘટના પર દુઃખ વ્યક્ત કરી અને તેઓ ફોન પર જ રડી પડ્યા હતા.તેમના આંસુ રોકાઇ રહ્યા નહોતા.જેવી રીતે પોતાના પરિવારના સભ્યોની ચિંતા કરવામાં આવે છે તેવી જ રીતે ગુલામ નબી આઝાદે તેમની ચિંતા કરી હતી.પીએમ મોદીએ જણાવ્યું કે ગુલામ નબી આઝાદ પક્ષની સાથો સાથ દેશ અંગે પણ વિચારે છે.તેમનું સ્થાન ભરવું કોઇ પણ માટે મુશ્કેલ રહેશે.
પીએમ મોદીએ ગુલામ નબી આઝાદના કર્યા વખાણ
પીએમ મોદીએ છેલ્લે એટલા સુધી કહી દીધું કે જે સદસ્ય આજે વિદાય લઈ રહ્યાં છે એમના માટે તેમના દરવાજા હંમેશાં માટે ખુલ્લા છે.આજે રાજ્યસભામાંથી 4 સાંસદો વિદાય લઈ રહ્યાં છે.ગુલાબનબી આઝાદ સાથે શમશેર સિંહ અને નાજિર અહેમદ રાજ્યસભામાંથી વિદાય લઈ રહ્યાં છે. હુ જ્યારે રાજનીતિમાં આવ્યો નહોતો ત્યારે ગુલાબ નબી આઝાદ અને હું લાંબીમાં વાતચીત કરતા હતા.સત્તા તો જીવનમાં આવતી હોય છે તેને કંઈ રીતે પચાવવી એ ગુલાબનબી આઝાદ પાસેથી શીખવાની જરૂર છે.
વડાપ્રધાને જણાવ્યું કે,તે સમયે પ્રણવ મુખર્જી સંરક્ષણ મંત્રી હતા અને તેમના પાસેથી સેનાના હવાઈ જહાજની વ્યવસ્થાની માંગ કરવામાં આવી હતી.તે સમયે ગુલામ નબી આઝાદે એરપોર્ટ પરથી જ ફોન કર્યો હતો.જેવી રીતે પોતાના પરિવારજનોની ચિંતા કરવામાં આવે છે તેવી રીતે જ આઝાદજીએ તેમની ચિંતા કરી હતી.વધુમાં જણાવ્યું કે, જીવનમાં સત્તા તો મળતી રહે છે પરંતુ તેને કેવી રીતે ઓળખવી તે ગુલામ નબી આઝાદજી પાસેથી શીખવા મળે છે.સાથે જ એક મિત્ર તરીકે તેઓ આઝાદજીનો ખૂબ જ આદર કરે છે તેમ પણ જણાવ્યું હતું.
દળની સાથે દેશની ચિંતા
પોતાના સંબોધનમાં વડાપ્રધાને જણાવ્યું કે,ગુલામ નબી દળ (પાર્ટી)ની સાથે દેશનું પણ વિચારે છે અને તેમની ખોટ પૂરી કરવી કોઈ પણ માટે મુશ્કેલ બનશે.વડાપ્રધાને એક પ્રસંગનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે,જ્યારે તેઓ ચૂંટણીલક્ષી રાજકારણમાં નહોતા પ્રવેશ્યા તે સમયે એક વખત તેઓ ગુલામ નબી સાથે લોબીમાં વાત કરી રહ્યા હતા. તે સમયે પત્રકારોએ તેમને વાત કરતા જોયા હતા અને ગુલામ નબી આઝાદે પત્રકારોને જવાબ આપ્યો કે,તમે ભલે નેતાઓને ટીવી પર લડતા જોવો પરંતુ અહીં પરિવાર જેવો માહોલ જ હોય છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ ઉપરાંત PDPના 2 અને ભાજપના એક સાંસદનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સાંસદોને વિદાય આપી હતી.વડાપ્રધાને જે સદસ્ય આજે વિદાય લઈ રહ્યા છે તેમના માટે તેમના દરવાજા હંમેશા ખુલ્લા જ છે તેવો ભાવ પણ વ્યક્ત કર્યો હતો.