By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: PM મોદીએ કર્યું બિરસા મુંડા સંગ્રહાલયનું ઉદ્ઘાટન, કહ્યું- જીવનનો મોટા ભાગનો સમય આદિવાસીઓ સાથે વીત્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > PM મોદીએ કર્યું બિરસા મુંડા સંગ્રહાલયનું ઉદ્ઘાટન, કહ્યું- જીવનનો મોટા ભાગનો સમય આદિવાસીઓ સાથે વીત્યો
GeneralNational

PM મોદીએ કર્યું બિરસા મુંડા સંગ્રહાલયનું ઉદ્ઘાટન, કહ્યું- જીવનનો મોટા ભાગનો સમય આદિવાસીઓ સાથે વીત્યો

HM News
Last updated: 15/11/2021 9:36 AM
HM News
4 years ago
Share
SHARE

– “મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે માનવતાનો અવાજ બની રહ્યા હતા, લગભગ તે જ સમયે બિરસા મુંડા ગુલામી વિરૂદ્ધ એક અધ્યાય લખી ચુક્યા હતા”

નવી દિલ્હી, તા. 15 નવેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઝારખંડના સ્થાપના દિવસ નિમિત્તે રાંચી ખાતે બિરસા મુંડા સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું કે, ‘પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની દૃઢ ઈચ્છાશક્તિના કારણે જ આજના દિવસે ઝારખંડ અસ્તિત્વમાં આવ્યું હતું.તેમણે જ અલગ જનજાતિય મામલાઓનું મંત્રાલય બનાવેલું અને જનજાતિય હિતોને રાષ્ટ્રની નીતિઓ સાથે જોડ્યા હતા.’

વડાપ્રધાને કહ્યું કે, રાષ્ટ્રએ નક્કી કર્યું છે કે, આઝાદીના ‘અમૃત કાળ’ દરમિયાન આદિવાસી પરંપરાઓ અને તેમની વીરતાની ગાથાઓને વધુ ભવ્ય ઓળખ આપવામાં આવશે.આ કારણે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે કે, 15મી નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જયંતિ ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવાશે.આ કારણે આ મહત્વપૂર્ણ અવસર પર જનજાતિય સ્વતંત્રતા સેનાની મ્યુઝિયમ દેશવાસીઓને સમર્પિત છે.વડાપ્રધાને કહ્યું કે, જે ભૂમિ તેમના તપ,ત્યાગની સાક્ષી બની છે તે અમારા માટે એક પવિત્ર તીર્થ છે.

વડાપ્રધાને કહ્યું કે, ‘થોડા દિવસ પહેલા મેં દરેક રાજ્યમાં આદિવાસી મ્યુઝિયમની સ્થાપનાનું આહ્વાન કરેલું.મને આનંદ થઈ રહ્યો છે કે, દરેક રાજ્ય આ મામલે કેન્દ્ર સરકાર સાથે આગળ વધી રહ્યું છે.ટૂંક સમયમાં જ વધુ 9 રાજ્યમાં આદિવાસી મ્યુઝિયમની સ્થાપના થશે.’

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાએ સમાજ માટે જીવન સમર્પિત કર્યું. પોતાની સંસ્કૃતિ,પોતાના દેશ માટે પ્રાણોનો પરિત્યાગ કર્યો.આ કારણે તેઓ આજે પણ આપણી આસ્થાઓમાં આપણી ભાવનાઓમાં ઉપસ્થિત છે.આ કારણે જ હું જ્યારે પણ દેશના વિકાસમાં આદિવાસી સમાજને જોઉં છું ત્યારે મને ભગવાન બિરસા મુંડાનો ચહેરો જોવા મળે છે.

વધુમાં કહ્યું કે, આપણાં બધા માટે ભગવાન બિરસા એક વ્યક્તિ નહીં એક પરંપરા છે.સદીઓથી તેઓ ભારતના આત્માનો હિસ્સો છે.જે સમયે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે માનવતાનો અવાજ બની રહ્યા હતા,લગભગ તે જ સમયે બિરસા મુંડા ગુલામી વિરૂદ્ધ એક અધ્યાય લખી ચુક્યા હતા.

ભગવાન મહાવીર એજયુકેશનલ ફાઉન્ડેશન દ્વારા સ્પંદન 2020 વાર્ષિક મહોત્સવ ઉજવાયો
મોદી સરકાર પર એટલું દેવું છે રિલાયન્સ જેવી 6 કંપનીઓ ઉભી થઈ જાય, વિકાસના નામે રૂપિયા લે લે કર્યા
આ રાજ્યની સરકારે પોલીસકર્મીઓને ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ જોવા રજા આપવાની જાહેરાત કરી
હમારે દિલ મેં મોદી હી હૈ : મુસ્લિમ સમાજમાં પણ PM મોદીની લોકપ્રિયતા કોઈ ‘કોયડા’થી ઓછી નથી
વલસાડ : હથિયાર પરવાનેદારોએ 29મી જૂન સુધીમાં યુઆઇએન જનરેટ કરી લેવા આદેશ
Share This Article
Facebook Email Print
Previous Article BAPS સ્વામીના નિવેદનથી ખળભળાટ : ‘પાટીદારો ઇંડા-નોનવેજની લારીએ ઉભા રહેવાની બંધ કરે, સરદારનું માથું શરમથી ઝુકી જશે’
Next Article ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે દરેક ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up