વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પોર્ટ બ્લેરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. 710 કરોડના ખર્ચે આ નવું ટર્મિનલ બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી કેન્દ્ર શાસિત પ્રદેશમાં કનેક્ટિવિટી ઝડપી બનશે.નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પોર્ટ બ્લેર પહોંચ્યા.તેમણે કહ્યું કે આજે આંદામાન-નિકોબાર ટાપુઓનું 710 કરોડ રૂપિયાનું એરપોર્ટ ભારતને સમર્પિત કરવામાં આવી રહ્યું છે. તેનાથી દિલ્હી-ચેન્નઈ-વિશાખાપટ્ટનમ માટે કનેક્ટિવિટી વધશે અને આવનારા દિવસોમાં વધુ કનેક્ટિવિટી વધશે.આ સાથે 4 વોટર ડ્રોન પણ લગાવવામાં આવશે.આનાથી આંદામાન અને નિકોબાર ટાપુઓનો આર્થિક વિકાસ થશે
ઘણી સુવિધાઓથી છે સજ્જ
નવી ટર્મિનલ બિલ્ડિંગ લગભગ 40,800 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી છે.માહિતી અનુસાર, આ ટર્મિનલ બિલ્ડીંગ દર વર્ષે લગભગ 50 લાખ મુસાફરોને હેન્ડલ કરી શકશે.ટર્મિનલની વર્તમાન ક્ષમતા દરરોજ 4,000 પ્રવાસીઓને હેન્ડલ કરવાની છે. જયારે,નવું ટર્મિનલ કાર્યરત થયા પછી ક્ષમતા દરરોજ 11,000 પ્રવાસીઓને હેન્ડલ કરવાની રહેશે.આ સાથે પોર્ટ બ્લેર એરપોર્ટ પર 80 કરોડના ખર્ચે બે બોઇંગ-767-400 અને બે એરબસ-321 પ્રકારના એરક્રાફ્ટ માટે યોગ્ય એપ્રોન પણ તૈયાર કરવામાં આવ્યું છે.આ સાથે એરપોર્ટ પર એક સાથે 10 એરક્રાફ્ટ પાર્ક કરી શકાશે.