By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: PM મોદીની અપીલ પર સંજય રાઉતનો કટાક્ષ, લોકો ક્યાંક પોતાનુ ઘર ના બાળી દે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > PM મોદીની અપીલ પર સંજય રાઉતનો કટાક્ષ, લોકો ક્યાંક પોતાનુ ઘર ના બાળી દે
GeneralNationalPolitics

PM મોદીની અપીલ પર સંજય રાઉતનો કટાક્ષ, લોકો ક્યાંક પોતાનુ ઘર ના બાળી દે

HM News
Last updated: 05/04/2020 5:24 AM
HM News
5 years ago
Share
SHARE

પીએમ મોદીએ શુક્રવારે દેશના લોકોને અપીલ કરી છે કે 5 એપ્રિલ એટલે કે રવિવારે બધા રાતે 9 વાગે 9 મિનિટ માટે પોત પોતાના ઘરોની લાઈટો બંધ કરીને દીવો, મિણબત્તી અને મોબાઈલની ફ્લેશ લાઈટ કરો. શિવસેનાના વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય રાઉતને પીએમ મોદીની અપીલ સમજમાં ન આવી અને તેમણે આની મજાક બનાવી. રાઉતે ટ્વિટ કર્યુ છે,’જ્યારે લોકોને તાળી પાડવાનુ કહેવામાં આવ્યુ તો તેમણે રસ્તા પર આવીને ઢોલ પીટ્યા. હવે હું આશા કરુ છુ કે તે પોતાના ઘર ના ફૂંકી દે.’

શું હતી પીએમ મોદીની અપીલ પીએમ મોદીએ લોકોને અપીલ કરી,’આ રવિવારે 5 એપ્રિલને બધાએ મળીને,કોરોનાના સંકટને અંધકારને પડકારવાનો છે, તેને પ્રકાશની તાકાતનો પરિચય કરાવવાનો છે.આ 5 એપ્રિલે આપણે 130 દેશવાસીઓની મહશક્તિનુ જાગરણ કરવાનુ છે.ઘરની બધી લાઈટો બંધ કરીને,ઘરના દરવાજા પર કે બાલકનીમાં ઉભારહીને 9 મિનિટ માટે મિણબત્તી, દીવો, ટૉર્ચ કે મોબાઈલની ફ્લેશલાઈટ કરો.અને એ વખતે જો ઘરની બધી લાઈટો બંધ કરશો,ચારે તરફ જ્યારે દરેક વ્યક્તિ એક-એક દીવો કરશે,ત્યારે પ્રકાશની એ મહાશક્તિનો અહેસાસ થશે,જેમાં એક જ હેતુથી આપણે બધા લડી રહ્યા છે,તે દેખાશે.

કોંગ્રેસે પૂછ્યુ – દીવો કરીશુ પરંતુ ગરીબોનો ચૂલો કયારે ચાલુ થશે

પીએમ મોદીની આ અપીલ પર કોંગ્રેસ પાર્ટીએ પ્રતિક્રિયા આપી છે.કોંગ્રેસે કહ્યુ કે દીવો કરીશુ પરંતુ દેશમાં ગરીબોનો ચૂલો ક્યારે ચાલુ થશે.પાર્ટીના પ્રવકતા પવન ખેડાએ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ કે પાર્ટી દીવો કરવાના વિરોધમાં નથી પરંતુ ગરીબોનો ચૂલો ક્યારે ચાલુ થશે. ખેડાએ કહ્યુ કે પીએમ મોદી ડૉક્ટર,નર્સ,સુરક્ષાકર્મીઓના સમર્થનમાં દીવો કરવાની વાત કહી રહ્યા છે પરંતુ તેમની સુરક્ષાનુ શું? ખેડાએ કહ્યુ કે દેશ આશા લગાવીને બેઠો હતો કે પ્રધાનમંત્રી પોતાના સંબોધનમાં ખેડૂતોના જન-ધન ખાતા, પેન્શનવાળાના ખાતામાં 7500 રૂપિયા અને મનરેગા મજૂરોના ખાતામાં 3 મહિનાનો એડવાન્સ પૈસા જમા કરાવવા અંગેના એલાન પ્રધાનમંત્રી કરશે. ખાડે પડેલી અર્થવ્યવસ્થા પર બોલશે પરંતુ તેમણે એવુ કંઈ કહ્યુ નહિ.આના કારણે દેશની જનતાને એક વાર ફરીથી પીએમ મોદીથી નિરાશા મળી છે.

ઇન્ડોનેશિયાએ CPO સહિત તમામ ખાદ્યતેલોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો
સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી ત્રણ ગણો મોટો લઘુગ્રહ પૃથ્વીની નજીક આવી રહ્યો છે
દ. આફ્રિકામાં હિંસા કેમ ફેલાઈ? : ભારતીયો પર હુમલા અને લૂંટફાટ, અત્યાર સુધી 72 લોકોનાં મોત
મહેસાણામાં બાકી રૂપિયા મુદ્દે સારવાર અટકાવી દેતા આઘેડનું મોત
મુંબઈમાં શિંદે સરકાર સામે મહાવિકાસ અઘાડીનો હલ્લાબોલ, પ્રદર્શનમાં ઉદ્ધવ ઠાકરે સામેલ થયા
Share This Article
Facebook Email Print
Previous Article મુંબઈઃ 6 મહિનાના COVID-19 પોઝિટિવ બાળકને લઈ હોસ્પિટલમાં ધક્કા ખાતી રહી મા
Next Article રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા થઈ 122 : 9 દર્દી તબલીગી જમાતના
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up