PM મોદી અને યોગીને મારી નાખવાની ધમકી, શું ફરી થશે 26/11 જેવો હુમલો?

HM News
2 Min Read
Pc : Twitter

મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમને ધમકીભર્યો કોલ આવ્યો છે.આ કોલમાં જણાવવામાં આવ્યું છે કે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને પીએમ નરેન્દ્ર મોદીની સરકાર તેમના નિશાના પર છે.મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ 26/11 જેવા આતંકવાદી હુમલાની ધમકી પણ આપી છે.પોલીસે આ મામલે આઈપીસીની કલમ 509(2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

આવી ધમકીની ઘટનાઓ પ્રથમવાર નથી બની,આ વર્ષની 22મેના રોજ પણ મુંબઈ પોલીસને એક ધમકીભર્યો મેસેજ મળ્યો હતો.તે મેસેજમાં એક અજાણ્યા વ્યક્તિએ લખ્યું હતું કે તે જલ્દી જ મુંબઈમાં વિસ્ફોટ કરવા જઈ રહ્યો છે.આ ધમકીભર્યા મેસેજથી પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી.પોલીસ દ્વારા વ્યક્તિની ઓળખ કરી કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી.તમને જણાવી દઈએ કે આ પહેલા પણ મુંબઈ પોલીસે શહેરમાં ડ્રોન,રિમોટ કંટ્રોલ માઈક્રો લાઈટ એરક્રાફ્ટ,પેરાગ્લાઈડર અને હોટ એર બલૂન વગેરે ઉડાવવા પર પ્રતિબંધ લગાવતા આદેશ જારી કર્યા હતા.પોલીસ અધિકારીએ જણાવ્યું આ બાબતે જણાવ્યું હતું કે, આ પ્રતિબંધક આદેશ શનિવારથી 29 જુલાઈ સુધી લાગુ રહેશે.

આ વસ્તુઓના પ્રતિબંધ પાછળનું કારણ એ જ છે કે હાલ VVIPS ને ટાર્ગેટ કરવામાં આવી રહી છે.સાથે જ મોટાપાયે લોકોના જીવનને જોખમમાં મૂકવાની ધમકીઓ મળી રહી છે.ઉપરાંત જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા તેમ જ કાયદા વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવામાં આવી રહ્યો છે.માટે જ આવી વસ્તુઓના દુરુપયોગની શક્યતાને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધક આદેશ જારી કરવામાં આવેલ છે.ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસને બુધવારે (12 જુલાઈ)ના રોજ પણ 26/11 જેવા આતંકવાદી હુમલાની ધમકી પણ આપવામાં આવી હતી.આ ધમકીભર્યા કોલમાં એક અજાણી વ્યક્તિએ કંટ્રોલ રૂમને ફોન કરીને કહ્યું હતું કે, જો સીમા હૈદર પરત નહીં આવે તો ભારત બરબાદ થઈ જશે. ઉપરાંત 26/11 જેવો હુમલો ફરી કરવામાં આવશે.આમ ફોન કરનારે 26/11ના હુમલા જેવો આતંકવાદી હુમલો ફરીથી કરવાની ધમકી આપી હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *