By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: PSI કેડરની ભરતી માટે ઉમેદવારો 20મી ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > PSI કેડરની ભરતી માટે ઉમેદવારો 20મી ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકશે
GandhinagarGeneral

PSI કેડરની ભરતી માટે ઉમેદવારો 20મી ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકશે

HM News
Last updated: 13/10/2021 7:18 AM
HM News
4 years ago
Share
SHARE

ગુજરાતમાં કોરોનાની મહામારીના પરિણામે સરકારી ભરતી પ્રક્રિયા પર અસર પડી હતી.જેના પરિણામે પી.એસ.આઈ કેડરની એપ્રિલ-2021માં લેવામા આવનાર શારીરિક કસોટી મોકુફ રાખવામાં આવી હતી.જોકે હવે કોરોનાની બીજી લહેરની અસર પૂરી થતા ફરીથી ભરતી પ્રક્રિયાઓ શરૂ થઈ છે.જેમાં પી.એસ.આઈની ભરતી માટે અગાઉ જો કોઈ ઉમેદવાર ઓનલાઈન અરજી ન કરી શક્યા હોય તેઓને તક મળે તે હેતુથી નવી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે.આ સાથે જ લોકરક્ષકની ભરતીની જાહેરાત પણ ટૂંક સમયમાં આપવામાં આવશે.

20મી ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકાશે

આ વિશે પોલીસ સબ ઈન્સ્પેક્ટર ભરતી બોર્ડ તરફથી નોટિફિકેશન જારી કરીને સૂચના આપવામાં આવી છે.જેમાં યુવાઓ 5મી ઓક્ટોબરથી 20મી ઓક્ટોબર સુધી પી.એસ.આઈ કેડરની ભરતી માટે OJAS વેબસાઈટ પર અરજી કરી શકશે.જોકે અગાઉ 16 માર્ચ 2021થી 31 માર્ચ 2021 સુધી અરજી કરનારા ઉમેદવારોએ ફરીથી અરજી કરવાની રહેશે નહીં.

22મી ઓક્ટોબર સુધી ફી ભરવાની રહેશે

નોટિફિકેશનમાં વધુમાં કહેવાયું છે કે, 16થી 31 માર્ચ 2021 દરમિયાન ઓનલાઈન અરજી કન્ફર્મ કરનારા જે સામાન્ય વર્ગના ઉમેદવારોની કોઈપણ કારણોસર ફી ભરવાની બાકી હોય તો તેઓ 22 ઓક્ટોબર સુધીમાં પોસ્ટ ઓફિસમાં જઈને અથવા ઓનલાઈન ફી ભરી શકશે.

એપ્રિલમાં યોજાવાની હતી પરીક્ષા

કોરોનાની મહામારીના કારણે પી.એસ.આઈની શારીરિક ભરતી પ્રક્રિયા એપ્રિલ મહિનામાં યોજાવાની હતી.જોકે પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવતા લાંબા સમયથી તે માટે તૈયારી કરી રહેલા ઉમેદવારોને થોડો વધારે સમય મળી રહેશે.જાણકારી મુજબ અંદાજે 4 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના હતા.પી.એસ.આઈ કેડર ભરતી-2021ની વખતો વખતની સુચના માટે ભરતી બોર્ડની વેબસાઇટ https://psirbgujarat2021.in જોતા રહેવાની સલાહ આપવામાં આવેલી છે.

પંજાબ ગાયક મૂસેવાલા હત્યાના 2 શકમંદ શૂટર પુણેના હોવાની શંકા
IPL 2022: મેચ પૂરી થયા બાદ MS ધોનીએ દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓનો ‘માસ્ટરક્લાસ’ લીધો
DHFL કેસ : EDએ બિલ્ડર્સની રૂ.415 કરોડની મિલકત ટાંચમાં લીધી
એરપોર્ટ-બંદરો-સ્ટેશનો પર માલ સામાનનો ભરાવો
લોકડાઉન : અર્થતંત્રને એપ્રિલ માસમા અંદાજે ૯૭ હજાર કરોડનો ફટકો
Share This Article
Facebook Email Print
Previous Article અફઘાનિસ્તાનમાં ‘હરે રામ હરે ક્રૃષ્ણાની ગુંજ’, હિંદુ મંદિરમાં નવરાત્રીની ઉજવણી
Next Article સામાન્ય પ્રજા મોંઘવારીથી ત્રાહિમામ, મોંઘવારીથી કયારે મળશે છુટકારો ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up