નવી દિલ્હી, તા. 13 માર્ચ 2022 રવિવાર : RBIએ નોન બેંકિંગ ફાયનાન્સ (NBFC) કંપનીઓ માટે કડક નિયમ જારી કર્યા છે.આ નિયમોને લાગુ થયા બાદ નોન બેંકિંગ ફાયનાન્સ (NBFC) કંપનીની સ્થિતિ કેવી છે એ સ્પષ્ટ જાણી શકાશે.ઈન પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) નિયમોના અમલ પછી NBFC કંપનીનું 3 અલગ-અલગ પરિમાણો પર પરીક્ષણ કરવામાં આવે છે.
આ નિયમ અનુસાર હવે પહેલા પેરામીટર પર અસફળ થયા બાદ રિઝર્વ બેન્ક NBFC ના ડિવિડન્ટ ડિસ્ટ્રિબ્યુશન પર રોક લાગી શકે છે.એટલુ જ નહીં,પ્રોમોટર્સને રૂપિયા નાખવા માટે પણ આરબીઆઈ તરફથી કહેવામાં આવી શકે છે.ત્યાં બીજા પેરામીટર પર અસફળ થવા પર આરબીઆઈ કંપનીને નવી બ્રાન્ચ ખોલવા પર રોક લાગી શકે છે અને સાથે જ વેપાર વિસ્તાર પર પણ રોક લાગી શકે છે.ત્યાં બીજા પેરામીટર પર અસફળ થયા બાદ રિઝર્વ બેન્ક NBFC કંપનીનુ સ્વાસ્થ્ય સારુ થયા બાદ વેપાર પર રોક લાગી શકે છે.
ક્યારથી લાગુ થશે નિયમ?
નવા નિયમ લાગુ થયા બાદ રિઝર્વ બેન્ક NBFC કંપનીને પીસીએની શ્રેણીથી ત્યારથી બહાર કરશે જ્યારથી તેને લાગશે કે વેપાર કરવા માટે કંપની યોગ્ય છે.આ નવા અને કડક નિયમ આ વર્ષે ઓક્ટોબરથી લાગુ થઈ જશે.એક્સપર્ટસનુ માનવુ છે કે રિઝર્વ બેન્કના આ પગલાથી NGFC સેક્ટરની સ્થિતિ સુધરશે.
એક્સપર્ટસ અનુસાર આ નિયમ સેક્ટર માટે લાભકારી સિદ્ધ થશે.ગયા 3 વર્ષમાં 4 મોટી NBFC કંપનીઓમાં ઘણી બધી મુશ્કેલીઓ સામે આવી છે.આ નિયમ લાગુ થયા બાદ આ સેક્ટરમાં સુધારની આશા વર્તાવાઈ રહી છે.આરબીઆઈએ પણ આ નિયમોને આ આશા સાથે જારી કરી દીધા છે.


