By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: Republic Day Parade 2021:રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ધ્વજ લહેરાવ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > Republic Day Parade 2021:રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ધ્વજ લહેરાવ્યો
GeneralNational

Republic Day Parade 2021:રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ધ્વજ લહેરાવ્યો

HM News
Last updated: 26/01/2021 4:53 AM
HM News
4 years ago
Share
SHARE

તા.26 જાન્યુઆરી 2021 મંગળવાર
દેશ માટે આજે મહત્વનો દિવસ છે.ભારત આજે પોતાનો 72મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે.રાજધાની દિલ્હીના રાજપથ પર મંગળવારે ફરી ઐતિહાસિક પરેડ નીકળશે. જેમાં દુનિયાને ભારત પોતાની તાકાતનો અહેસાસ કરાવશે.પહેલી વાર આ પરેડમાં રાફેલ પોતાની શક્તિ દર્શાવશે.સાથે સાથે દરેકની નજર ટ્રેક્ટર રેલી પર પણ છે.

રાષ્ટ્રપતિએ લહેરાવ્યો ધ્વજ
રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ધ્વજ લહેરાવ્યો.હવેથી થોડીવારમાં પરેડની શરૂઆત થશે.

લદ્દાખમાં જવાનોએ ધ્વજ લહેરાવ્યો
દેશના જુદા-જુદા ભાગોમાં ધ્વજ લહેરાવવાનુ શરૂ થઈ ગયુ છે.આઈટીબીપીના જવાનોએ લદ્દાખમાં ધ્વજારોહણ કર્યુ.

ગણતંત્ર દિવસના અવસરે શુભકામનાઓનો સિલસિલો
બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હૉનસને ભારતને ગણતંત્ર દિવસના અવસરે શુભકામનાઓ આપી છે. બોરિસ જ્હૉનસનને પહેલા ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં મહેમાન તરીકે સામેલ થવાનુ હતુ, પરંતુ કોરોના સંકટના કારણે તેઓ આવી શક્યા નહીં.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ, રાહુલ ગાંધી અને અન્ય દેશના નેતાઓએ લોકોને ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપી છે.

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ થયુ સન્માનનું એલાન
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશને સંબોધિત કર્યો અને કોરોના કાળ સહિત અન્ય પડકારોનો ઉલ્લેખ કર્યો.સાથે જ પદ્મ પુરસ્કારોનુ એલાન કર્યુ. આ વખતે 119 લોકોને આ સન્માન મળ્યુ છે,જેમાં જાપાનના પૂર્વ પીએમ શિંઝો આબે, રામવિલાસ પાસવાન સહિત અન્ય કેટલાક દિગ્ગજોના નામ સામેલ છે.આ અવસરે ગેલેંટેરી એવોર્ડસનું પણ એલાન કરવામાં આવ્યુ છે.

પીએમ મોદીએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ
ગણતંત્ર દિવસના સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ વૉર મેમોરિયલ પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી.આ દરમિયાન તેમની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ત્રણેય સેનાઓના પ્રમુખ પણ હાજર રહ્યા.દરેક વખતે ગણતંત્ર દિવસના જશ્ન પહેલા શહીદોને આ પ્રકારે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

દેશના અલગ-અલગ ભાગોમાં જશ્ન શરૂ…
અમદાવાદમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે ધ્વજ ફરકાવ્યો. સાથે જ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ ધ્વજારોહણ કર્યુ.

ગણતંત્ર દિવસના અવસરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે દેશમાં અલગ-અલગ પંત ભલે હોય પરંતુ દેશનુ સંવિધાન દરેકને એક સૂત્રમાં બાંધે છે. સંવિધાન પ્રત્યે તમામ નાગરિકોને સન્માન કરવુ જોઈએ અને મૂળ દાયિત્વોનુ પાલન કરવુ જોઈએ.

સારંગપુર હનુમાનજી કષ્ટભંજન મંદિર લોકસેવામાં , 100 બેડની ધર્મશાળા બની હોસ્પિટલ
73 જળાશયોમાં પાણીનો જથ્થો આરક્ષીત રખાશે, વધારાનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે અપાશે
વિધાનસભા સચિવે શિવસેનાના 53 ધારાસભ્યોને નોટિસ પાઠવી, આદિત્ય ઠાકરે અપવાદ
ગુજરાત પોલીસમાં ચિપાયો બઢતી-બદલીનો ગંજીફો, 57 IPS અધિકારીઓની બઢતી અને બદલી, જાણો કયા પોલીસ અધિકારીની બઢતી અને ક્યા બદલી થઇ
પ્રથમ વખત ઇઝરાયેલનો યહૂદી પત્રકાર મક્કા મસ્જિદ પહોંચ્યો, મુસ્લિમ વિશ્વમાં ખળભળાટ : જાણો સમગ્ર મામલો
Share This Article
Facebook Email Print
Previous Article સુપ્રીમ કોર્ટે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચાલી રહેલા ત્રણ કેસનો અંત આપ્યો
Next Article આખરે ડ્રગ માફિયા આરિફ ભૂજવાલાની રાયગઢમાંથી ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up