નવી દિલ્હી તા.5 ઑગષ્ટ 2020 બુધવાર
બોલિવૂડના ગીતકાર જાવેદ અખ્તરે જગપ્રસિદ્ધ લેખક તારીક ફતેહને સંબોધીને કરેલી ટ્વીટમાં એવો સવાલ પૂછ્યો હતો કે તમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વખાણ કરો છો પરંતુ ગોલવલકરનાં પુસ્તકો કે લખાણ કદી વાંચ્યા છે ખરા ? ગોલવલકર જર્મનીના બદનામ જુલ્મી શાસક હિટલરના પ્રશંસક હતા.
આ વિવાદનો આરંભ એક પત્રકાર આતિશ તાસીરની ટ્વીટથી થયો હતો.અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલા ટાઇમ્સ સ્ક્વેર પર ભગવાન રામની તસવીર રજૂ કરવાના વિરોધ વિશે તાસીરે એક ટ્વીટ કરી હતી.એમાં તાસીરે લખ્યું હતું કે ન્યૂયોર્કમાં નાઝીઓથી પ્રભાવિત હિન્દુત્વના પ્રતિનિધિત્વને સ્થાન હોઇ શકે નહીં.તાસીરની આ ટ્વીટના જવાબમાં જગપ્રસિદ્ધ લેખક તારીક ફતેહે લખ્યું હતું કે નાઝીઓથી પ્રભાવિત હિન્દુત્વ ? તમે પેલેસ્ટાઇનના મુફ્તીના હિટલર અને નાઝીઓ સાથે ખભેખભા મિલાવીને કામ કરનારી ઇસ્લામી દુનિયાની વાત તો નથી કરતા ને ? હિન્દુઓ પ્રત્યેની તમારી ઘૃણા સમજી શકાય તેવી છે. એક કાફિર મહિલા સાથે લગ્ન કરવા બદલ તમારે તમારા પિતાને માફ કરી દેવા જોઇએ.
તાસીર અને તારીક વચ્ચે થયેલી આ ટ્વીટ ફાઇટમાં કોઇ કારણ વિના ઝુકાવતાં ગીતકાર જાવેદ અખ્તરે ટ્વીટર પર લખ્યું,તારીક સાહેબ તમે RSSના વખાણ કરતા હો એવું જણાય છે.પરંતુ શું તમે ગોલવલકરના અ બંચ ઑફ થોટ્સ અને વી ઓર અવર નેશન ડિફાઇન્ડ પુસ્તકને વાંચ્યું છે કે ? ગોલવલકર હિટલરના સમર્થક હતા એ તો તમે જાણતા હશો.
જો કે જાવેદની આ ટ્વીટ પર ઘણા લોકો તૂટી પડ્યા હતા.વિશાલ નામના એક યુવાને તો તેજાબી ભાષામાં લખ્યું, મિયાં નકાબ (મહોરું) કાઢી નાખો તો અસલી ચહેરો દેખાય…બધું યાદ રાખવામાં આવશે…તમે મૂર્તિઓ તોડતાં રહો,અમે મૂર્તિઓ સ્થાપતાં રહીશું,અન્ય એક ટ્રોલરે લખ્યું, હા તો હવે જાવેદ સાહેબ એ પુસ્તકની વાત કરે છે અને જણાવે છે કે નાઝી હિટલરના શબ્દોની કેટલી નિકટ કોણ છે અત્યારે…