[weather_data]
Breaking News
TRENDING NEWS

RSS હવે મુસ્લિમ વિસ્તારોમાં પણ શાખાઓ શરુ કરશે,ચિંતન શિબિરમાં લેવાયા મહત્વના નિર્ણયો

[updated_date] [post_views]

Table of Content

નવી દિલ્હી,તા.13 : ચિત્રકુટમાં ચાલી રહેલી આરએસએસની ચિંતન શિબિરની પાંચ દિવસ બાદ સમાપ્તિ થઈ છે.આ દરમિયાન સંગઠનને મજબૂત કરવા માટે મહત્વના નિર્ણયો લેવાની સાથે સાથે રાજનીતિ પર પણ ચર્ચા થઈ હતી.આ દરમિયાન આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પશ્ચિમ બંગાળને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે.જે પ્રમાણે બંગાળને કોલકાતા,મધ્ય બંગાળ અને ઉત્તર બંગાળમાં વહેંચવામાં આવ્યુ છે.

પ્રાન્ત પ્રચારકોને તેમની જવાબદારી સમજાવવામાં આવી છે અને અલગ અલગ રાજ્યોના પ્રાંત પ્રચારકોમાં પણ ફેરબદલ કરવામાં આવી છે.ઉપરાંત ક્ષેત્ર પ્રચારક પ્રદીપ જોષીને અખિલ ભારતીય સહ સંપર્ક પ્રમુખની જવાબદારી અપાઈ છે.ભૈયાજી જોષી હવે સંઘ તરફથી વિશ્વ હિન્દુ પરિષદ સાથેના સંપર્ક અધિકારી હશે.જ્યારે ડો.કૃષ્ણ ગોપાલને વિદ્યા ભારતીના સંપર્ક અધિકારી બનાવાયા છે.સર કાર્યવાહ અરુણ કુમાર સંઘ અને ભાજપ વચ્ચે કો ઓર્ડિનેટરનુ કામ કરશે.સાથે સાથે આ શિબિરમાં આરએસએસના બંધ પડેલા કાર્યક્રમો તેમજ સંઘની શાખાઓને ફરી શરુ કરવાનુ એલાન કરાયુ છે.હવે સંઘ દ્વારા દેશભરમાં મુસ્લિમ વિસ્તારોમાં શાખા શરુ કરવામાં આવશે.મુસ્લિમોને સંઘ સાથે જોડવાના પ્રયાસો તેજ કરવામાં આવશે.સંઘ દ્વારા સોશિયલ મીડિયા પર લોકો સુધી વાત પહોંચાડવા માટે આઈટી સેલ સ્થાપવાની વાત પહેલા જ કરવામાં આવી છે.સંઘના કાર્યકરોને પણ સોશિયલ મીડિયામાં સક્રિય થવા માટે જણાવાયુ છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles