પુતિનનો દાવો છે કે આ સૈન્ય કાર્યવાહીથી યુક્રેનના નાગરિકોને કોઈ ખતરો નથી, જો કે યુક્રેનની વાત માનીએ તો તેમાં નાગરિકોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) યુક્રેન (Ukraine) સાથે યુદ્ધની જાહેરાત કરી ત્યારથી સતત સૈન્ય કાર્યવાહી ચાલી રહી છે.રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે.પુતિનનો દાવો છે કે આ સૈન્ય કાર્યવાહીથી યુક્રેનના નાગરિકોને કોઈ ખતરો નથી,જો કે યુક્રેનની વાત માનીએ તો તેમાં નાગરિકોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.જાણો રશિયા-યુક્રેન વિવાદને લઈને અત્યાર સુધીના 10 મોટા અપડેટ્સ.
1
રશિયા દ્વારા ચાલી રહેલા સૈન્ય અભિયાનના ભાગરૂપે યુક્રેનના 11 શહેરો પર હુમલો કરવામાં આવ્યો છે.તેમાં કિવ,ખાર્કીવ,ચિસિનાઓ શામેલ છે.યુક્રેનના ઘણા શહેરોમાં વિસ્ફોટના અહેવાલ છે.કાળો સમુદ્ર નજીક ઓડેસામાં બે શક્તિશાળી વિસ્ફોટ થયા છે. રાજધાની કિવમાં પણ બે વિસ્ફોટના અવાજ સંભળાયા હતા.આ ઉપરાંત, ક્રેમેટોર્સ્ક, બર્દ્યાન્સ્ક અને નિકોલેવ શહેરોમાં વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા.મળતી માહિતી મુજબ સૌથી વધુ નુકસાન ઓડેસામાં થયું છે
2
રશિયા તરફથી સૈન્ય આક્રમણ શરૂ કર્યા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિએ દેશમાં માર્શલ લૉ જાહેર કર્યો છે અને નાગરિકોને આ સ્થિતિમાં ન ગભરાવાની પણ અપીલ કરી છે.
3
એક તરફ પુતિને કહ્યું છે કે યુક્રેન પર હુમલો ત્યાંના લોકોની સુરક્ષા માટે છે અને તેમને કોઈ ખતરો નથી, તો બીજી તરફ યુક્રેને દાવો કર્યો છે કે રશિયન હુમલામાં 300 લોકો માર્યા ગયા છે.આ સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તેની તમામ સૈન્ય સંરચના નષ્ટ થઈ ગઈ છે.
4
રશિયા દ્વારા હુમલાની જાહેરાત બાદ જો બાયડેને એક નિવેદનમાં કહ્યું હતું કે ‘આ હુમલાથી થયેલા મૃત્યુ અને વિનાશ માટે સંપૂર્ણપણે રશિયા જ જવાબદાર છે.અમેરિકા અને તેના સાથી દેશો સંયુક્ત અને નિર્ણાયક રીતે જવાબ આપશે.વિશ્વ રશિયાને જવાબદાર ઠેરવશે.
5
યુક્રેને NOTAM (એર મિશન માટે નોટિસ) જાહેર કરી છે અને દેશની અંદર સિવિલ એરક્રાફ્ટ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.આવી સ્થિતિમાં ભારતીયોને લાવવા માટે નીકળેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-1947 ખાલી હાથ પરત ફરી રહી છે. આ ફ્લાઈટ આજે સવારે યુક્રેનના બોરીસ્પિલ એરપોર્ટ માટે રવાના થઈ હતી.
6
હુમલાની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે વાત કરી હતી.આ સાથે તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને તુર્કીના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી છે.
7
રશિયા તરફથી યુક્રેન પર હુમલો કર્યા બાદ હવે બેલારુસે પણ હુમલો કર્યો છે. ખેરસન એરપોર્ટ પર પણ હુમલો કરવામાં આવ્યો છે.અહીં આગની ઉંચી જ્વાળાઓ દેખાઈ રહી હતી. પરિસ્થિતિ સતત વણસી રહી છે.
8
આ હુમલાએ યુક્રેનમાં ભારે તબાહી મચાવી છે.રશિયા દેશ પર ધારદાર મિસાઈલોથી હુમલો કરી રહ્યું છે.મિસાઈલ હુમલાને કારણે રાજધાની કિવને ઘણું નુકસાન થયું છે.
9
રશિયન હુમલા પર યુક્રેન દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ અંતર્ગત યુક્રેને રશિયન ફાઈટર જેટને નષ્ટ કરી દીધું છે.યુક્રેનનો દાવો છે કે 5 રશિયન ફાઈટર જેટને તોડી પાડવામાં આવ્યા છે.આ સાથે એક હેલિકોપ્ટરને પણ તોડી પાડવામાં આવ્યું છે.
10
યુક્રેનમાં બગડતી પરિસ્થિતિને જોતા નાટોએ ઈમરજન્સી બેઠક બોલાવી છે.બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને રશિયન હુમલાને ધ્યાનમાં રાખીને કહ્યું, ‘હું આજે સાંજે વ્હાઇટ હાઉસથી પરિસ્થિતિ પર નજર રાખીશ અને મારી રાષ્ટ્રીય સુરક્ષા ટીમ પાસેથી સતત અપડેટ મેળવીશ.આવતીકાલે, હું સવારે મારા G7 સમકક્ષોને મળીશ.અમે અમારા નાટો સહયોગીઓ સાથે સંકલન કરીશું.


