By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: SPના MLC પુષ્પરાજ જૈનના ઘરે આવકવેરા વિભાગના દરોડા, લોન્ચ કર્યું હતું સમાજવાદી અત્તર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > SPના MLC પુષ્પરાજ જૈનના ઘરે આવકવેરા વિભાગના દરોડા, લોન્ચ કર્યું હતું સમાજવાદી અત્તર
GeneralNational

SPના MLC પુષ્પરાજ જૈનના ઘરે આવકવેરા વિભાગના દરોડા, લોન્ચ કર્યું હતું સમાજવાદી અત્તર

HM News
Last updated: 31/12/2021 6:01 AM
HM News
4 years ago
Share
SHARE
  • આવકવેરા વિભાગની ટીમે પુષ્પરાજ જૈન ઉપરાંત કન્નૌજના અન્ય એક અત્તરના કારોબારી મોહમ્મદ યાકૂબના ત્યાં પણ દરોડો પાડ્યો

નવી દિલ્હી, તા. 31 ડિસેમ્બર : કાનપુરના અત્તરના કારોબારી પિયૂષ જૈન પરની કાર્યવાહી બાદ આવકવેરા વિભાગે હવે પુષ્પરાજ જૈનના ત્યાં દરોડો પાડ્યો છે.પુષ્પરાજ જૈન સમાજવાદી પાર્ટીના એમએલસી છે અને તેમણે સમાજવાદી અત્તર બનાવ્યું હતું.જાણવા મળ્યા મુજબ આવકવેરા વિભાગની ટીમ સવારે 7:00 કલાકે પુષ્પરાજ જૈનના ઘરે પહોંચી હતી.પિયૂષ જૈનની માફક પુષ્પરાજ જૈન પણ કન્નૌજના અત્તરના કારોબારી છે.

જાણવા મળ્યા મુજબ આવકવેરા વિભાગની ટીમ પુષ્પરાજ જૈનના ઘર,ઓફિસ સહિત 50 સ્થળોએ તપાસ કરી રહી છે.આવકવેરા વિભાગની ટીમોએ ઉત્તર પ્રદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ દરોડો પાડ્યો છે.પ્રાથમિક જાણકારી પ્રમાણે ટેક્સચોરીના આરોપમાં આ દરોડો પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.આવકવેરા વિભાગની ટીમે પુષ્પરાજ જૈન ઉપરાંત કન્નૌજના અન્ય એક અત્તરના કારોબારી મોહમ્મદ યાકૂબના ત્યાં પણ દરોડો પાડ્યો છે.

તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન પુષ્પરાજ જૈને એમ કહ્યું હતું કે,કારોબારીઓ આગળ વધશે તો દેશ પણ આગળ વધશે.તેમણે કહ્યું હતું કે,સરકારે કારોબારીઓ માટે વ્યાપારિક માહોલ બનાવવો જોઈએ જેથી દેશને ફાયદો થાય.સમાજવાદી પરફ્યુમ બતાવીને તેમણે કહ્યું હતું કે,તેઓ તે પરફ્યુમ સપાની ઓફિસમાં ફ્રીમાં વહેંચે છે,તેનાથી દુશ્મનીનો અંત આવે છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે,આ કઠિન સમય છે તેવામાં સરકારે એવી નીતિઓ બનાવવી જોઈએ જેથી
લોકોને કારોબાર કરવામાં આનંદ આવે.કારણ કે,વેપાર સમૃદ્ધ થશે તો દેશ વધશે.તેમણે કહ્યું હતું કે,સરકારે અત્તરના ઉદ્યોગને ટેક્સમાં છૂટ આપવા અંગે વિચાર કરવો જોઈએ.

ચોકલેટ ખાધા બાદ 4 બાળકોના મોત, સ્નીફર ડોગ્સે 3 શકમંદોનું પગેરૂં કાઢ્યું
નારગોલ,દહેરી સહિત 12 ગામને સેલ્ટરમાં ખસેડાયા
કાશી મંદિરના વિશ્વકર્મા વચ્ચે મોદી : PMએ હાથ જોડીને આભાર વ્યક્ત કર્યો, 10 મિનિટ સુધી તેમના ઉપર પુષ્પવર્ષા કરી, મોદીએ શ્રમિકોની સાથે બેસીને ભોજન પણ કર્યું
બુલડોઝર ચોરીને ATMના કર્યા 3 ટુકડા, તો પણ ચોરો મશીનમાં રાખેલી રોકડ ન લૂંટી શક્યા
મંત્રી રાઘવજી પટેલની મત્સ્યોદ્યોગ કમિશનરેટની કચેરીની સરપ્રાઇઝ વિઝિટથી અધિકારીઓમાં ફફડાટ
Share This Article
Facebook Email Print
Previous Article હવે મહંત નરસિંહાનંદે ગાંધી માટે વિવાદિત નિવેદન આપ્યું,કાલીચરણની ધરપકડનો કર્યો વિરોધ
Next Article અયોધ્યા બાદ મથુરામાં પણ મંદિર બનાવીશું, અમને મુસ્લિમો મત આપતા નથી : ભાજપ સાસંદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up