સુરતઃ કેન્દ્ર સરકાર દ્વારા ટેકસટાઇલ ક્ષેત્રમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)વધારવામાં આવતાં સુરતના કાપડના વેપારીઓમાં રોષ છે.આ જાહેરાતનો વિરોધ કરવા સુરત ટેકસટાઇલ માર્કેટ 30 ડીસેમ્બરે બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.કેન્દ્ર સરકાર દ્વારા 1 જાન્યુઆરી,2022થી કાપડનાં ઉત્પાદનો પર ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) 5 ટકાથી વધી ને 12 ટકા GST થઈ રહ્યો છે.તેના વિરોધમાં વેપારીએના સંગઠન સુરત ફોસ્ટા દ્વારા સુરત ટેકસટાઇલ માર્કેટ 30 ડીસેમ્બરે બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.
વેપારીઓ સતત કાપડનાં ઉત્પાદનો પર ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ન વધે તે માટે માંગ કરી રહ્યા હતા પણ સસરકારે તેમની વાત સાંભળી નથી.આ કરાણે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો.હવે માર્કેટ બંધ રાખીને વિરોધ વ્યક્ત કરાશે.આ અંગે ફોસ્ટાના પ્રવક્તા રંગનાથ શાઢાએ કહ્યું કે,કાપડ વેપારીઓ એક દિવસ બંધ માર્કેટ રાખશે તો કરોડો નું નુકશાન થશે પણ સરકારના વલણને કારણે બીજો વિકલ્પ નથી.આ મુદ્દે આવનારા દિવસોમાં આંદોલન ઉગ્ર બની શકે છે.