નવી દિલ્હી, તા. 03 મે 2022, મંગળવાર : અબજોપતિ બિઝનેસમેન એલોન મસ્ક દ્વારા ટ્વિટર ખરીદ્યા બાદ કંપનીના CEO પરાગ અગ્રવાલ રજા પર હોવાનું માનવામાં આવે છે.અહેવાલ અનુસાર, એલોન મસ્ક નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની શોધમાં છે.સોશિયલ નેટવર્કની 44 બિલિયન ડોલર ડીલની પ્રક્રિયા પૂર્ણ થતાં જ તેઓ CEO પરાગ અગ્રવાલની જગ્યાએ નવો ચહેરો લાવશે.હકીકતમાં મસ્કે ગયા મહિને ટ્વિટરના ચેરમેન બ્રેટ ટેલરને કહ્યું હતું કે, તેમને સૈન ફ્રાન્સિસ્કો સ્થિત કંપનીના મેનેજમેન્ટ પર વિશ્વાસ નથી.તમને જણાવી દઈએ કે, પરાગ અગ્રવાલને નવેમ્બરમાં જ ટ્વિટરના ચીફ એક્ઝિક્યુટિવ બનાવવામાં આવ્યા હતા.તે જ સમયે એલોન મસ્ક દ્વારા ટ્વિટર ખરીદ્યા બાદ કંપનીના CEO પરાગ અગ્રવાલે ચિંતિત કર્મચારીઓને કહ્યું હતું કે, તેમને ખબર નથી કે, 44 અબજ ડોલરની સૌથી મોટી ડીલ બાદ આ કંપની કઈ દિશામાં જશે.તમણે કંપનીના કર્મચારીઓ સાથે બેઠકમાં વાતચીત કરી હતી.અગ્રવાલે 5 મહિના પહેલા જ ટ્વિટરનો હવાલો સંભાળ્યો હતો.
અહેવાલ અનુસાર, ‘એ સ્વીકારવું અગત્યનું છે કે જે થઈ રહ્યું છે તેના વિશે તમારા બધાની અલગ-અલગ લાગણીઓ છે.’ અગ્રવાલે કર્મચારીઓને કહ્યું હતુ કે, તેમનો અંદાજ છે કે આ સોદો પૂરો કરવા માટે 3થી 6 મહીના લાગી શકે છે.આ દરમિયાન અમે પહેલાની જેમ ટ્વિટરનું સંચાલન કરવાનું ચાલુ રાખીશું.અમે કંપનીને કેવી રીતે ચલાવીએ છીએ.અમે જે નિર્ણયો લઈએ છીએ અને જે અમે સકારાત્મક ફેરફારો કરીએ છીએ તે અમારા નિર્ભર અને નિયંત્રણમાં રહેશે.
જોકે, હવે ટ્વિટર કર્મચારીઓના ભાગ્ય પર મોટી અસર જોવા મળી રહી છે.એક અહેવાલ અનુસાર, તે સ્પષ્ટ નથી કે ટ્વિટરને લઈને મસ્કની શું યોજના છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અત્યારે આ પ્રશ્નનો કોઈ જવાબ નથી કે, તે કંપનીનું નેતૃત્વ કરવા માટે કોને પસંદ કરશે.જો કે, અગ્રવાલ ઓછામાં ઓછો સોદો પૂર્ણ ન થાય ત્યાં સુધી રહશે તેવી અપેક્ષા છે. તે જ સમયે અહેવાલ અનુસાર, જો અગ્રવાલને 12 મહિનાની અંદર તેમના પદ પરથી હટાવવામાં આવે છે.તો તેમને $ 42 મિલિયન ચૂકવવામાં આવશે.