ફ્રાંસમાં પૈગંબર મોહમ્મદના કાર્ટુન વિવાદને લઈને જુદા જુદા દેશમાંથી મુસ્લિમો આ મામલે વિરોધ કરી રહ્યા છે.જોકે,યુનાઈટેડ આરબ અમિરાતે ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખને સમર્થન આપ્યું છે. UAEના વિદેશમંત્રી અનવર ગાર્ગાશે સોમવારે આપેલા એક ખાસ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,મુસ્લિમોએ મેક્રોંની પશ્ચિમી સમાજની અનુકુળતાની વાત માની લેવી જોઈએ.
ગાર્ગાશે ઉમેર્યું કે,મેક્રોંએ પોતાના ભાષણમાં જે કંઈ કહ્યું છે મુસ્લિમોએ એ વાત ધ્યાનથી સાંભળવાની જરૂર છે.મેક્રોંએ પશ્ચિમમાં મુસ્લિમોને કંઈ અલગ અલગ વાત કરી નથી. તે પોતાની જગ્યાએ સાચા છે.મુસ્લિમોએ પશ્ચિમી દેશોમાં વધુ સારી રીતે ભળી જવાની જરૂર છે.ફ્રાંસને અધિકાર છે કે,તે કઠોરતા અને સામાજિક સંઘર્ષ વચ્ચે લડતા લડતા સ્થાયી થાય.ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ પર લાગી રહેલા આરોપને રદ્દ કર્યો છે કે, તે ફ્રાંસમાં રહેતા દરેક મુસ્લિમોને કાઢી મૂકવા માગે છે.આરબ અમિરાતના મંત્રીનું નિવેદન એક એવા સમયે સામે આવ્યું છે જ્યારે આરબ અને મુસ્લિમ દેશમાં મેક્રોંએ ઈસ્લામ પર કરેલી ટિપ્પણીઓને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. મેક્રોંને છપાયેલા એ કાર્ટુનનો બચાવ કર્યો અને ફ્રાંસમાં જોવા મળેલા તમામ પ્રકારના મતભેદનું સન્માન કરવામાં આવી રહ્યું છે.મેક્રોંએ ફ્રાંસના નીસ શહેરમાં થયેલા હુમલાને ઈસ્લામિક હુમલો ગણાવી દીધો હતો.ફ્રાંસ સરકાર એક એવું બીલ લાવવા માગે છે. જે અંતર્ગત ઈસ્લામિક કટ્ટરપંથીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અલગાવવાદી પ્રવૃતિઓ પર ચાંપતી નજર રાખવામાં આવશે. કેટલાક કટ્ટરપંથી ગ્રૂપ પર અગાઉથી પ્રતિબંધ જાહેર કરાયો છે.આ પહેલા અબુધાબીના પ્રિન્સ ક્રાઉન અને યુએઈના સેનાના અધિકારી કમાંડર મોહમ્મદે બિન જાયેદ અલ નાહયાને ફ્રાંસના નીસ શહેરમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી હતી.
ક્રાઉન પ્રિન્સે ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ મેક્રોં સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને આતંકી હુમલામાં પીડિતો પ્રત્યે પોતાની સંવેદના પ્રગટ કરી હતી.ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદે કહ્યું કે,આ પ્રકારની પ્રવૃતિઓ શાંતિ,સહિષ્ણુંતા અને પ્રેમના પાઠ ભણાવતા તમામ ધર્મના સિદ્ધાંતો તથા મુલ્યોની વિરૂદ્ધમાં છે.હેટ સ્પીચને ફગાવતા કહ્યું કે,આવી સ્પીચથી લોકોના એકબીજા પ્રત્યેના સંબંધમાં મોટું નુકસાન થાય છે. કટ્ટરવાદી વિચારધારાને મોટું પ્રોત્સાહન મળે છે.અપરાધ,હિંસા અને આતંકવાદનો કોઈ પણ રીતે બચાવ કરવો એ યોગ્ય નથી.ખોટું છે.પૈગંબર મોહમ્મદ માટે મુસ્લિમોના મનમાં એક અપાર શ્રદ્ધા છે.પણ આ મુદ્દાને હિંસા સાથે જોડી દેવો અને રાજકારણ કરવું સ્વીકાર્ય નથી. ફ્રાંસના નીસ શહેરમાં થયેલા હુમલા પહેલા એક સ્કૂલમાં પૈગંબરના કાર્ટુન દેખાડનાર ટીચરની હત્યા કરી દેવામાં આવી હતી.પાકિસ્તાન,ઈરાન, તુર્કી,બાંગ્લાદેશ અને મોરક્કો સહિત અનેક દેશમાં મેક્રોંના નિવેદનને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.તુર્કીના રાષ્ટ્રપ્રમુખ રેચેપ તૈય્યપ એર્દવાને મેક્રોંનું માનસિક ચેકઅપ કરાવવાની સલાહ આપી હતી.જ્યારે પાકિસ્તાને મેક્રોં પર ઈસ્લામોફોબિયાને વેગ આપવાનો આરોપ લગાવ્યો હતો.સાઉદી આરબે પણ કાર્ટુન મુદ્દે નિંદા કરી હતી.આ સાથે મુસ્લિમોને એવી વાત પણ કહી કે,આ મુદ્દે લોકોએ જરૂરિયાત કરતા વધારે પ્રતિક્રિયા આપવાની જરૂર ન હતી.