નવી દિલ્હી, તા. 05 માર્ચ, 2022, શનિવાર : રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે સંકટનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.નેશનલ મેડિકલ કમિશને (NMC)એ એક સર્ક્યુલર બહાર પાડીને આ અંગેની જાણકારી આપી છે કે,યુક્રેનથી પરત આવનારા વિદ્યાર્થીઓ હવે ભારતમાં જ પોતાની એક વર્ષની ઈન્ટર્નશિપ પૂરી કરી શકે છે.આ માટે કોરોના મહામારી કે યુદ્ધના સમયે વસ્તુઓ કાબૂમાં ન હોવાનો હવાલો આપવામાં આવ્યો છે.એનએમસીએ પોતાની સત્તાવાર વેબસાઈટ પર પણ આ સર્ક્યુલર જાહેર કર્યું છે.વધુ જાણકારી માટે વિદ્યાર્થીઓ nmc.org.in પર જઈને વાંચી શકે છે.
અનેક વિદ્યાર્થીઓને મળશે રાહત
એનએમસીના કહેવા પ્રમાણે અનેક મેડિકલ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે પોતાની ઈન્ટર્નશિપ પૂરી નથી કરી શક્યા.આ વિદ્યાર્થીઓની મુશ્કેલી જોઈને તેમને ભારતમાં ઈન્ટર્નશિપ માટે આવેદન યોગ્ય માનવામાં આવશે.આ વિદ્યાર્થીઓની મુશ્કેલી ધ્યાનમાં રાખીને તેમના ભારતમાં ઈન્ટર્નશિપના આવેદનને યોગ્ય માનવામાં આવશે.આ કારણે એવા સેંકડો વિદ્યાર્થીઓને રાહત મળશે જેઓ આ સંકટના કારણે પોતાનો અભ્યાસ અધૂરો છોડીને ભારત પરત આવી ગયા છે.
FMGE પરીક્ષા કરવી પડશે પાસ
NMCએ જણાવ્યું કે,રાજ્યની પરિષદ એ વાતનું ધ્યાન રાખશે કે યુક્રેનથી ભારત આવેલા વિદ્યાર્થીઓએ NBE તરફથી આયોજિત FMGE પરીક્ષા પાસ કરી હોય.વિદ્યાર્થીઓ દ્વારા તમામ યોગ્યતાઓમાંથી પાર ઉતરવામાં આવશે તો તેમને રાજ્ય ચિકિત્સા પરિષદ તરફથી 12 મહિનાની ઈન્ટર્નશિપ માટે વચગાળાની નોંધણી કરી આપવામાં આવશે.સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવશે કે,વિદ્યાર્થીઓની ઈન્ટર્નશિપ પૂરી કરાવવા કોલેજ તરફથી કોઈ શુલ્ક ન લેવામાં આવે.સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે,ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટને મળનારૂં સ્ટાઈપેન્ડ પણ ભારતની સરકારી કોલેજના મેડિકલ વિદ્યાર્થીઓની સમાન કરવામાં આવશે.