ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ બિષ્ટનું નિધન થયું છે.તેઓ લાંબા સમયથી બીમાર હતા.દિલ્હીની AIIMSમાં સારવાર ચાલતી હતી.યુપી સરકારે આનંદ સિંહ બિષ્ટના નિધનની પુષ્ટિ કરી છે.
યુપીના એડિશનલ ચીફ સેક્રેટરી (હોમ) અવનીશ અવસ્થીએ કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતાનું આજે સવારે 10:44 વાગ્યે સ્વર્ગવાસ થયા છે. અમે તેમના નિધન પર શોક સંવેદના પ્રકટ કરીએ છીએ.
ઉત્તરાખંડમાં પૌડી જિલ્લાના યમકેશ્વરના ગામ પંચુર નિવાસી આનંદ સિંહ બિષ્ટ (89)ની ગયા મહિને ખૂબ જ તબિયત ખરાબ થયા બાદ તેમણે દિલ્હીના AIIMS લાવ્યા હતા. અહીં તેમને એમ્સના એબી વોર્ડમાં રખાયા હતા.ગેસ્ટ્રો વિભાગના ડૉકટર વિનીત આહજાની ટીમ તેમની સારવાર કરી રહી હતી. રવિવારના રોજ અચાનક ફરીથી તેમની તબિયત બગડી હતી.
આનંદ સિંહ બિષ્ટને લાંબા સમયથી લીવર અને કિડીનીની સમસ્યા હતી.ડૉકટર્સ તેમનું ડાયાલિસીસ પણ કરતા હતા.પૌડીમાં તબિયત ખરાબ થયા બાદ તેમને પહેલાં જોલીગ્રાન્ટની હિમાલયન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.અહીં તબિયત ના સુધરતા તેમને એર એમ્બ્યુલન્સથી દિલ્હી લવાયા.યુપીએ સીએમના પિતા ઉત્તરાખંડમાં ફોરેસ્ટ રેન્જર હતા.તેઓ 1991મા રિટાયર થયા હતા. રિટાયરમેન્ટ બાદથી તેઓ પોતાના ગામમાં આવીને વસ્યા હતા.