નવી દિલ્હી,તા.4 : ભાજપ સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામી વડાપ્રધાન મોદીન પણ લખીને ધ્યાન દોર્યુ છે કે, હાઇ પ્રોફાઇલ ભ્રષ્ટાચારના કેસોમાં અદલતોમાં સુનાવણીમાં વિલંબથી પક્ષની છબી બગડી રહી છે.સ્વામીએ સોનિયા ગાંધી,રાહુલ ગાંધી,પી.ચિદંબરમ, રોબર્ટ વાહા સહિત અન્ય વિરુદ્ધ અદાલતોમાં કેસ મામલે ઉલ્લેખ કર્યો છે.
સુબ્રહ્મણ્યમ સ્વામીએ આ પત્રમાં 2જી કૌભાંડ,એરસેલ મેકિસીસ અને નેશનલ હેરાલ્ડ જેવા ભ્રષ્ટાચારના કેસનો ઉલ્લેખ કર્યો છે.તેમે આ કેસમાં આકલન માટે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ મોનિટરીંગ બોડીની રચનાની માંગ કરી છે.સ્વામીએ આપેક્ષ લગાવ્યો હતો કે વાહાની સામે કાળાધનના કેસમાં પણ કંઇ ખાસ નથી થયું.
સ્વામીએ વડાપ્રધાનને લખેલા પત્રમાં દિલ્હી હાઇકોર્ટમાં વિલંબિત ટુ જી કૌભાંડની અપીલ,એરસેલ મેકિસીસ અને આઇએન એકસ મીડિયા લાંચના કેસમાં ચિદંબરમ અને તેમના પત્રનો કેસ તેમજ નેશનલ હેરાલ્ડના કેસમાં જમીન પર રહેલા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામેના કેસનો પણ ઉલ્લેખ કર્યો છે.