[weather_data]
Breaking News
TRENDING NEWS

WHOએ કોરોનાને લઇ ભારતને આપી મોટી ચેતવણી, લોકડાઉનથી નહીં ચાલે ચીન-સિંગાપુર જેવું…

[updated_date] [post_views]

Table of Content

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ભારત સરકારે લોકડાઉનની જે જાહેરાત કરી છે તેના વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ વખાણ કર્યા છે. સાથે તેણે એમ પણ કહ્યું છે કે આ માત્ર એક પગલું છે, હજુ વધારે કડક પગલાં લેવા પડશે.

કોરોના મહામારીએ દેશભરમાં પોતાની અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. ભારતમાં હાલ તે બીજા સ્ટેજમાં ચાલી રહી છે. ત્રીજા સ્ટેજમાં ન પ્રવેશવા માટે ભારતે 21 દિવસના લોકડાઉન જેવા કડક પગલાને ઉઠાવ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે ભારતે લોકડાઉનની સાથે બીજા પણ નિર્ણયો કરવા પડશે માત્ર લોકડાઉનથી જોખમ ટળશે નહીં.

ચીન અને સિંગાપુર મોડલ શું છે?

લોકડાઉનને લઈને ડો. મારિયા વેને કહ્યું કે એવું નથી કે તમે લોકડાઉન કરીને તેનાથી છૂટકારો મેળવી લેશો, આગળ તમારે તમારા પ્લાનમાં સતત ફેરફાર કરતો રહેવો પડશે અને જ્યાં વધારે કેસ છે તે સાવધાની રાખવી પડશે. આવામાં ચીન અને સિંગાપુરનું મોડલ અપનાવી શકાશે. કારણ કે ત્યા અલગ અલગ ક્ષેત્રમાં ઘણા પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે. ચીન દ્વારા કોરોના વાઈરસનો ફેંલાવો જે વિસ્તારમાં જે માત્રામાં હતો તે પ્રમાણે કડક નિર્ણયો લીધા હતા. દરેક ક્ષેત્રમાં એક સમાન નિર્ણયો થોપી દીધા ન હતા. વિશ્વભરના એક્સપર્ટનું માનવું છે કે સોશિયલ ડિસ્ટંસથી જ તેના પર કાબૂ મેળવી શકાય છે. લોકડાઉનની જાહેરાત સમયે પ્રધાનમંત્રી મોદીએ પણ આ વાત કરી હતી.

ભારતે પોલિયોને ખત્મ કર્યો: રેયાન

ડબ્લ્યુએચઓ ટાસ્ક ફોર્સના પ્રતિનિધિઓએ ભારતનો પ્રવાસ કર્યો હતો તે દરમ્યાન તેમણે જાણ્યું હતું કે ભારત એક મોટો દેશ છે અને કોઇ મહામારીને નાથવા માટે કોઇ એક જ પદ્ધતિ કારગત નીવડતી નથી. ભારતના નીતિ નિર્માતાઓને કેટલાંય સંભવિત ઉપાયોને અપનાવાની અને ધ્યાનમાં રાખવાની જરર છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles