By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બારડોલી નગરપાલિકા દ્વારા વેરો નહીં ભરનાર 5 મિલકતો સીલ, એકના નળ અને ગટર કનેક્શન કપાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > બારડોલી નગરપાલિકા દ્વારા વેરો નહીં ભરનાર 5 મિલકતો સીલ, એકના નળ અને ગટર કનેક્શન કપાયા
GeneralGujarat NowSouth Gujarat

બારડોલી નગરપાલિકા દ્વારા વેરો નહીં ભરનાર 5 મિલકતો સીલ, એકના નળ અને ગટર કનેક્શન કપાયા

HM News
Last updated: 17/03/2020 8:31 AM
HM News
5 years ago
Share
SHARE

વર્ષોથી વેરો નહીં ભરતા કાર્યવાહી હાથ ધરાય

બારડોલી નગરપાલિકાના વેરા વિભાગ દ્વારા સોમવારના રોજ કડક કાર્યવાહી શરૂ કરતાં બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પાલિકાની ટીમે 5 મિલકતોને સીલ કરી હતી જ્યારે એક મિલકતના નળ અને ગટર કનેક્શન કાપી નાંખવામાં આવ્યા હતા.
બારડોલી નગરપાલિકા દ્વારા વર્ષોથી વેરા નહીં ભરનાર મિલકત ધારકો સામે લાલ આંખ કરી છે. હિસાબી વર્ષ અંતિમ તબક્કામાં હોય વધુને વધુ વેરાની વસૂલાત થઈ શકે તે માટે બારડોલી નગરપાલિકા દ્વારા કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં 77 ટકા વેરાની વસૂલાત કરવામાં આવી હતી અને માર્ચના અંત સુધીમાં વસૂલાત 90 ટકા સુધી પહોંચાડવા માટે પાલિકાએ કમર કસી હતી. જો કે કેટલાક મિલકત ધારકો વર્ષોથી વેરો ભરતા ન હોય તેઓની રકમ લાખો રૂપિયાને વટાવી ગઈ હતી. જે પૈકી ગત દિવસો દરમ્યાન ચાર નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા. દરમ્યાન સોમવારના રોજ ફરી એક વખત પાલિકાએ વેરો નહીં ભરનાર મિલકત ધારકો સામે કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં ગાંધી રોડ પર બીનીતા પાર્કની બાજુમાં આવેલ અમીબેન ગિરધારી લાલના મકાનના 1 લાખ 4 હજાર રૂપિયા બાકી હોય તેમની મિલકતના નળ અને ગટર કનેક્શન કાપી નાંખવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્ટેશન રોડ પર આવેલ ક્રિષ્ના મોલના પ્રથમ માળે આવેલ ચાર દુકાનોના 2 લાખ રૂપિયા અને જૂના પાવર હાઉસ ખાતે આવેલ આઈસ ફેક્ટરીના મકાનના 1.33 લાખ રૂપિયા વેરો બાકી હોય તેને સીલ કરી દેવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ કડક કાર્યવાહીના પગલે અન્ય બાકીદારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ વેરો નહીં ભરનાર અન્ય મિલકત ધારકો સામે પણ આ જ રીતે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું વેરા વિભાગના સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું.

વડોદરા અને ખેડા જિલ્લાના ભાજપના મુખ્ય સંગઠનનું વિસર્જન, નવા જિલ્લા પ્રમુખો નિમાયા
હિંડનબર્ગનો રિસર્ચનો માર ! અદાણી ગ્રુપના કુલ માર્કેટ કેપમાં રૂ. 40,000 કરોડથી વધુનો ઘટાડો
દુનિયાનાં 199 દેશોમાં 724,592 લોકો કોરોના વાયરસથી સંક્રમિત : 34000 થી વધુ મોત
ફ્રાન્સના નોબેલ વિજેતા વિજ્ઞાનીનો ચોંકાવનારો દાવો: મનુષ્યોએ બનાવ્યો કોરોના વાયરસ
મુંબઈ : જાતિ-ધર્મના ચક્રવ્યૂહમાં ફસાયેલા વાનખેડેને SC કમિશનનું સમર્થન મળ્યુ કહ્યુ, ઈમાનદાર અધિકારી પર આરોપ લગાવવા અયોગ્ય
Share This Article
Facebook Email Print
Previous Article હાર્દિકે કોર્ટ પરિસરમાં ગુંડાગીરી કરવાની સલાહ આપી! પક્ષપલટો કરનારને મેથીપાક ચખાડવાની વાત કરીને…
Next Article મહેસાણા પાલિકાનાં કોંગ્રેસના 16 કોર્પોરેટરોને પક્ષાંતરધારાની નોટિસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up