By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સંકટના સમયમાં ભૂખ્યા માટે બન્યા અન્નદાતા, અમદાવાદ-ગાંધીનગરમાં માનવતા મહેકી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > સંકટના સમયમાં ભૂખ્યા માટે બન્યા અન્નદાતા, અમદાવાદ-ગાંધીનગરમાં માનવતા મહેકી
AhmedabadGeneralGujarat Now

સંકટના સમયમાં ભૂખ્યા માટે બન્યા અન્નદાતા, અમદાવાદ-ગાંધીનગરમાં માનવતા મહેકી

HM News
Last updated: 24/03/2020 3:52 PM
HM News
5 years ago
Share
SHARE

કોરોના વાયરસને કારણે હાલ સમગ્ર ગુજરાતમાં ક્લોઝડાઉનની સ્થિતિ છે. અમદાવાદમાં પણ પોઝિટિવ કેસોની સંખ્યાને લઈ તમામ વસ્તુઓ બંધ છે. તેવામાં રસ્તે રહેતાં અને છૂટક મજૂરી કરીને પેટ ભરતાં લોકોને ખાવાના ફાંફા પડી ગયા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે ફૂડ પેકેટનું વહેંચણી કરવામાં આવી હતી.

અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોરોના મહામારીમાં સરાહનીય કામગીરી સામે આવી હતી. કોર્પોરેશનની સ્વચ્છતા મામલે દંડ કરતી જેટની ગાડીઓમાં ફૂડ પેકેટ જોવા મળ્યા હતા. આ ફૂડ પેકેટનું વિતરણ પણ ખુદ કોર્પોરેશનના કર્મચારીઓએ કર્યું હતું. મ્યુન્સિપલ કોર્પોરેશન કમિશનર વિજય નહેરાએ આ આદેશ કર્યા હતા. અમદાવાદ શહેરમાં રસ્તાઓ પર રહેતાં અને મજૂરી કામ કરતાં લોકને આ ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ફૂડ પેકેટ વિતરણના લીધે ભૂખ્યા ના રહે અને લોકોને ભોજન મળી રહે તેવો ઉદ્દેશ કોર્પોરેશનનો રહેલો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી આ ઉમદા કામગીરીને શહેરીજનોએ આવકારી લીધી હતી. અગાઉ સોશિયલ મીડિયામાં અમદાવાદ પોલીસનો પણ એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં પોલીસકર્મીઓ રસ્તાં પર રહેતાં જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ આપી રહ્યા હતા. સંકટના આ સમયમાં તંત્ર દ્વારા લોકોના રક્ષણની કામગીરી તો કરવામાં આવી જ રહી છે સાથે સાથે માનવીય અભિગમ પણ જોવા મળી રહ્યો છે.

તો લોકડાઉનની સ્થિતિ વચ્ચે ગાંધીનગર પોલીસની માનવતા સામે આવી હતી. ગાંધીનગર પોલીસે ચાલતા જતા લોકોને જમવાનું પુરૂ પાડ્યું હતું. નાના ચિલોડા, અડાલજ સહિતની જગ્યાઓ ગાંધીનગર પોલીસ દ્વારા ચાલતાં જતાં લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા 1500 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરીને વિતરણ કરાયા હતા. આ સાથે જ ચાલતા જતા લોકોના આરોગ્ય તપાસની કામગીરી પણ કરવામાં આવી હતી.

બાળ ઠાકરેની સાચી શિવસેના સાથે મુંબઈમાં બીજેપી ભગવો લહેરાવશે : BMC ચૂંટણી પ્રચારનું રણશિંગું ફૂંક્યું
મધ્ય પ્રદેશનું સંકટ સુપ્રીમ તરફઃ વિધાનસભા 26 માર્ચ સુધી સ્થગિત
પવિત્ર રમઝાનમાં પણ પાકિસ્‍તાનમાં નાપાક હરકત : હિન્‍દુઓ ઉપર ભયાનક હુમલા : ઘરોને આગચંપી,મહિલાઓ પર રેપ કરાયા
તાપીમાં 3 લાખ ક્યુસેક પાણી ન છોડાય ત્યાં સુધી સુરત માટે ચિંતાનો કોઈ વિષય નહીં : સુરત જિલ્લા કલેકટર
ડુંગરી ગામે થ્રીવ્હીલ ટેમ્પાની અડફેટે બાઇક પર સવાર બે યુવાનો પૈકી એકનું મોત
Share This Article
Facebook Email Print
Previous Article ૧૨૦ કરોડ લોકો ઘરોમાં કેદઃ મૃત્યુઆંક ૧૬૫૧૦: ૩.૭૮ લાખ કેસ
Next Article હું સમાજનો દુશ્મન છું’, લોકડાઉનને લઈને સુરત પોલીસનો અનોખો પ્રયોગ, જો ઘરની બહાર નીકળ્યા તો…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up