By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં કોરોના બ્લાસ્ટ : કુલ આંક 200ને પાર : 2 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 7
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Breaking News > સુરતમાં કોરોના બ્લાસ્ટ : કુલ આંક 200ને પાર : 2 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 7
Breaking News

સુરતમાં કોરોના બ્લાસ્ટ : કુલ આંક 200ને પાર : 2 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 7

HM News
Last updated: 18/04/2020 1:56 PM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થયા બાદ હવે સુરતમાં કોરોનાનો બ્લાસ્ટ થયો છે.સુરતમાં આજે નવા 45 કેસ નોંધાયા છે.આમ આજે કુલ મળીને સુરતમાં કુલ 61 પોઝિટિવ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.સુરતમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 201 થઈ ગયો છે. જ્યારે કોરોનાને કારણે સુરતમાં સાત લોકોનાં મોત નિપજ્યા છે.

સુરત માટે ખતરાની ઘંટી વાગી ગઈ છે.સુરતમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 201 થઈ ગયો છે. જેમાં 194 કેસ તો માત્ર સુરત શહેરમાં જ છે.જ્યારે સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવનાં 7 કેસ નોંધાયા છે.સુરત શહેરમાં આજે સવારે 16 પોઝિટિવ કેસ નોંધાયા હતા. અને સવાર બાદ સાંજ સુધીમાં એકસાથે 45 કેસો સામે આવતાં ચકચાર મચી જવા પામી હતી. નવા ઉમેરાયેલાં દર્દીઓ લંબે હનુમાન રોડ,માનદરવાજા અને મીઠીખાડી વિસ્તારના છે. આજે 36 વર્ષિય મહિલા અને એક આધેડનું સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવની સારવાર દરમિયાન મોત થયું છે.જેથી મરણાંક સાત થયો છે.

ઉલ્લેખનીય છે કે,ગઈકાલે સુરતમાં એક જ દિવસમાં કોરોનાના 51 દર્દીના મળી આવ્યાનો ગભરાટ સમ્યો નથી ત્યાં બીજા દિવસે એટલે આજે કોરોનાગ્રસ્ત એકનું મોત અને નવા તેર દર્દી આવતાં લોકોમાં ગભરાટોનો માહોલ છે.આજે સુરત સિવિલમાં દાખલ 35 વર્ષીય મહિલાનું મોત થયું છે જ્યારે નવા તેર કેસ આવ્યા છે તેમાં યોગીચોક,માન દરવાજા તથા ભેસ્તાન અને લંબેહનુમાન રોડના દર્દીઓ છે આજે 176 કેસો નવા આવતાં અમદાવાદમાં 765 કેસ, સુરતમાં 156 કેસ અને વડોદરામાં 152 કેસ નોંધાયા છે.વડોદરા કરતાં સુરતમાં હવે 4 કેસો વધુ છે.વડોદરાને નાગરવાડા વિસ્તાર અને સુરતને માનદરવાજા ટેનામેન્ટ વિસ્તાર ભારે પડી ગયો છે.

ત્રણ જ દિવસમાં 54 દર્દીઓ કોરોનાના પોઝીટીવ

સુરતનો માન દરવાજા વિસ્તાર કોરોના માટે બોમ્બ સાબિત થયો છે. આ ક્લસ્ટર બની જતાં આ વિસ્તારમાં ત્રણ જ દિવસમાં 54 દર્દીઓ કોરોનાના પોઝીટીવ બહાર આવ્યા છે.આજે કોમ્યુનીટી સેમ્પલમાં પણ માન દરવાજાના કેટલાક સેમ્પલ પોઝીટીવ જાહેર કરવામા આવ્યા છે.આજે વધુ તેર લોકો સવાર સુધીમાં કોરોનો પોઝીટીવ જાહેર કરવામાં આવ્યા છે જેમાં માન દરવાજા સાથે,યોગીચોક ભેસ્તાન અને લંબે હનુમાન રોડના દર્દીનો સમાવેશ થાય છે.

સુરતની નવી સિવિલના કોરોના વોર્ડમાંથી બે દિવસ પહેલા ભાગેલા કોરોના પોઝિટિવ દર્દીનો મૃતદેહ મળી આવ્યો
સમગ્ર મુંબઇમાં 144ની કલમ લાગું:CAA-NRPનો વિરોધ યથાવત: આગમચેતીના ભાગરૂપે જાહેરાત
HM BREAKING : ડેલકર આત્મહત્યા કેસમાં દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ સહીત નવ જણાની સંડોવણી : વાંચો વિગતે કોણ કોણ છે આત્મહત્યા કેસમાં ત્રાસ આપનારા
મારો શું વાંક હતો…કમલનાથે મધ્યપ્રદેશના CM પદ પરથી આપ્યું રાજીનામું
નોટબંધીનું ભુત ફરી ધુણ્યું: ૧પ૦૦૦ જવેલર્સને નોટિસ
Share This Article
Facebook Email Print
Previous Article શું લોકડાઉન જૂન સુધી લંબાશે ? : એર ઇંન્ડિયાએ 4 મેથી સ્થાનિક અને 1 જૂનથી આંતરરાષ્ટ્રિય રૂટો માટે બુકિંગ શરૂ કર્યું
Next Article સુરત જઈ રહેલા સાધુઓનું પાલઘરમાં મૉબ લિન્ચિંગ, 110 લોકોની ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up