– 3 મનપાના પોલીસ કમિશનરની થઇ શકે છે બદલી
– રાજકોટ,અમદાવાદ,સુરતમાં થઇ શકે છે બદલી
રાજ્યમાં IPS બદલી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં 3 મહાનગરના પોલીસ કમિશ્વરની બદશે કરવામાં આવનાર છે તેવી સુત્રો તરફથી માહિતી મળી છે.રાજ્યમાં 3 મહાનગરના પોલીસ કમિશ્વરની બદશે કરવામાં આવનાર છે તેવી સુત્રો તરફથી માહિતી મળી છે.અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવની પણ બદલી થઈ શકે છે, તો રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની પણ બદલી થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે,આ તરફ સુરત પોલીસ કમિશ્નર અજય તોમરની પણ બદલી થાય તેવા સંકેત જોવા મળી રહ્યા છે
45 થી વધુ IPSની બદલી તેમજ 6થી વધુ IPSને બઢતી : સૂત્ર
થોડા સમય પહેલા એક અહેવાલ પ્રકાસિક કરવામાં આવ્યો હતો જેમાં રાજ્યમાં મોટા IPSની બદલી કરવામાં આવી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી જોવા મળી રહી છે અહેવાલમાં ગૃહ વિભાગે IPSની બદલીનું લિસ્ટ તૈયાર કરી દીધું હોવાના સંકેત આપવામાં આવ્યા હતા જેમાં બદલીનું લીસ્ટ જૂલાઈમાં જાહેર કરવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું હતું ત્યારે હતું જેમાં 45 થી વધુ IPSની બદલી તેમજ 6થી વધુ IPSને બઢતી આપી શકાય તેમજ સાથે જ અલગ અલગ રેન્જના IGની પણ બદલી થઈ શકે તેવું.ત્યારે હવે ત્રણ જેટલા મહાનગરોમાં પોલીસ વડાઓની બદલીના સંકેત મળ્યા છે સુરત પોલીસ કમિશ્નર IPS અજય તોમરને અમદાવાદ પોલીસ કમિશ્નરનો હવાલો સોંપાઈ શકે છે તો રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને સુરતનો હવાલો સોંપાઈ શકે છે તેવી સુત્રો પાસેથી માહિતી મળી રહી છે અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવને ACB ડાયરેક્ટર બનાવાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે
6 પ્રોબેશનરી IPSને જીલ્લા પોલીસ વડા તરીકે નિમણૂંક અપાશે : સૂત્ર
રાજકોટ પોલીસ કમિશ્નર માટે 5 નામ રેસમાં જોવા મળી રહ્યા છે જ્યારે રાજકોટ માટે રાજુ ભાર્ગવ,રાજકુમાર પાંડિયનનુ નામ પણ રેસમાં હોવાનું જણાઈ રહ્યું છે રાજકોટ માટે નીરજા ગોટરૂ,કે.એલ.એન.રાવ,નરસિમ્હા કોમરના નામ રેસમાં છે 2017 બેચના 6 પ્રોબેશનરી IPSને જીલ્લા પોલીસ વડા તરીકે નિમણૂંક અપાશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે ગાંધીનગર,ગોધરા,દાહોદ સહિત 17 જિલ્લાના પોલીસ વડાની બદલી થઈ શકે છે તો વડોદરા અને સુરત ક્રાઇમ બ્રાંચ DCPની પણ બદલી થઈ શકે છે જ્યારે અમદાવાદ ટ્રાફિક ડીસીપીની બદલી થવાની સંભાવના જોવાઈ રહી છે.
મોટા પાયે થશે બદલીઓ : સૂત્ર
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની અમલદારશાહીમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવી રહ્યા છે.સૌથી પહેલા સેક્રેટરી લેવલના અધિકારીઓની બદલી કરવામાં આવી અને તે બાદ જિલ્લા કક્ષાએ કલેકટર અને DDO લેવલના અધિકારીની એક ઝાટકે બદલીઓ બાદ હવે સરકાર પોલીસ બેડામાં પણ મોટા પાયે ફેરફાર કરવા જઈ રહી છે.એક્સક્લુઝિવ માહિતી અનુસાર રથયાત્રા બાદ આ જ મહિનામાં IPS અધિકારીઓને લઈને મોટો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે જેમાં બદલીઓની સાથે સાથે SP રેન્કના કેટલાક અધિકારીઓને DIG રેન્ક પર બઢતી પણ આપવામાં આવશે.
પોલીસ અધિકારીઓનું લોબિંગ ચાલુ
પોલીસ બેડામાં ફેરફાર સાથે જોડાયેલા સૂત્રનું કહેવું છે કે ગુજરાતના પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરવા માટે પ્રક્રિયાની શરૂઆત કરી દેવામાં આવી છે.એવામાં ગુજરાતના ઘણા બધા IPS અધિકારીઓએ પોત-પોતાની પ્રસિદ્ધિ માટેના પ્રયાસો ચાલુ કરી દીધા છે.કેટલાક પોલીસ અધિકારીઓ દ્વારા ગૃહ ખાતામાં લોબિંગથી લઈને મંત્રીઓ અને નેતાઓ સાથે તાર જોડવાના પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે.
અગ્રવાલ સુરત CPની રેસમાં સૌથી આગળ : સૂત્ર
જોકે પોલીસ અધિકારીઓમાં બદલીઓને લઈને જુદી જુદી અટકળો થઈ રહી છે ત્યારે સુરત શહેરના નવા CP માટેની રેસમાં રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સૌથી આગળ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે.રાજકોટમાં હોવાના કારણે અગ્રવાલ CM રૂપાણીની નજીક ગણવામાં આવે છે.
એક અધિકારીએ ભાજપના પાવરફૂલ નેતાનો સંપર્ક કર્યો : સૂત્ર
સુરતના CP બનવાની રેસમાં અગ્રવાલ સિવાય બીજું મોટું નામ સુરત રેન્જના IG રાજકુમાર પાંડિયાનું સામે આવ્યું છે.સૂત્રો અનુસાર પાંડિયા દક્ષિણ ગુજરાતમાં જ રહેવા માંગે છે.પાંડિયા છેલ્લા ચાર વર્ષથી સુરત રેન્જના IG છે એવામાં તેમની બદલી ફાઇનલ માનવામાં આવી રહી છે ત્યારે તેઓ હવે સુરતના CP તરીકે શિફ્ટ થવા માંગે છે સૂત્રો અનુસાર પાંડિયાએ પોતાની બદલીને લઈને ભારતીય જનતા પાર્ટીના પાવરફૂલ નેતાનો સંપર્ક સાધ્યો છે.જોકે સુરતના CPના પદ મુદ્દે ભાજપ અધ્યક્ષ અને દક્ષિણ ગુજરાતના મોટા નેતા CR પાટીલનો મત વધારે મહત્વ ધરાવશે.સૂત્રો અનુસાર સુરત શહેરમાં બદલીઓ અને નવી નિમણૂકમાં પાટીલનો નિર્ણય મોટો ભાગ ભજવે છે.