ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગામી તહેવારોને લઈને પોલીસ અને વહીવટી તંત્ર સાથે બેઠક કરી અને જરૂરી તમામ સાવચેતી રાખવા સુચના આપી છે.તેની સાથે જે ૩૦ સપ્ટેમ્બર સુધી સાર્વજનિક સમારોહ,ધાર્મિક ઉત્સવ,રાજકીય આંદોલન અને સભાઓ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મુકવામા આવ્યો છે.
આદેશમા કહેવામા આવ્યું છે કે સાર્વજનિક રીતે મૂર્તિઓ સ્થાપિત નહીં કરવામા આવે.ના તાજીયા નીકળશે ગણેશ ઉત્સવ અને મોહરમ જેવા તહેવારોના પગલે આ સાવચેતીના પગલા લેવામા આવ્યા છે.
સીએમ યોગીએ અધિકારીઓ સાથે બેઠકમા કહ્યું કે કોરોના વાયરસના પગલે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમા સાર્વજનિક રીતે મંજુરી આપવામા આવશે નહીં.તેમજ તેનું કડકાઈથી પાલન કરવામા આવશે.વિડીયો કોન્ફરન્સ દરમ્યાન સીએમ યોગીએ કહ્યું કે જો કોઈ નિયમોનું ભંગ કરતા નજરે પડશે તો તેમની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામા આવશે.તેની સાથે સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામા આવશે તેમજ અફવાહોને લઈને સજાગ રહેવા માટેના મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે,યુપીમા હાલ તો મોહરમના તહેવારને લઈને ખાસો એવો વિવાદ જોવા મળી રહ્યો છે.યુપીની રાજધાની લખનઉ સહિત સમગ્ર દેશમા મોહરમના અવસરે તાજીયાનું જુલસનું આયોજન કરવામા આવે છે.પરંતુ કોરોના વાયરસની ગાઈડ લાઈનના પગલે તેની મંજુરી નથી.
આ સમગ્ર કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો પરંતુ તેમને રાહત મળી ન હતી.સુપ્રિમ કોર્ટમા અરજી દાખલ કરવામા આવી હતી કે પાંચ લોકોને મોહરમનું જુલુસ નીકાળવાની મંજુરી આપવામા આવે.જેને અદાલતે રદ કરી હતી.આ અંગે આગામી સુનવણી સોમવારે કરવામા આવશે.