By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: એનસીપી-કૉન્ગ્રેસ સાથેનું ગઠબંધન તોડી નખાશે તો ઉદ્ધવ ઠાકરે સામે કોઈ વાંધો નથી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > એનસીપી-કૉન્ગ્રેસ સાથેનું ગઠબંધન તોડી નખાશે તો ઉદ્ધવ ઠાકરે સામે કોઈ વાંધો નથી
GeneralMumbai

એનસીપી-કૉન્ગ્રેસ સાથેનું ગઠબંધન તોડી નખાશે તો ઉદ્ધવ ઠાકરે સામે કોઈ વાંધો નથી

HM News
Last updated: 25/06/2022 5:41 AM
HM News
3 years ago
Share
SHARE

ગુવાહાટી પહોંચેલા કોંકણના વરિષ્ઠ નેતા દીપક કેસરકરે એમ પણ કહ્યું કે ૧૨ વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવા બાબતે કાનૂની સલાહ લેવા માટે એકનાથ શિંદે ત્રણ કલાક હોટેલની બહાર ગયેલાએકનાથ શિંદે સાથે ગુવાહાટી પહોંચેલા કોંકણના વરિષ્ઠ નેતા દીપક કેસરકરે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘એનસીપી અને કૉન્ગ્રેસ સાથેના ગઠબંધનમાંથી બહાર પડે તો ઉદ્ધવ ઠાકરે સાથે અમને કોઈ વાંધો નથી.

અમે હવે એટલે દૂર નીકળી ગયા છીએ કે પાછું વળવું મુશ્કેલ છે.પક્ષ દ્વારા ૧૨ વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે એ વિશે કાયદાકીય સલાહ લેવા માટે એકનાથ શિંદે આસામના વિધાનસભ્ય અને વકીલને મળવા માટે હોટેલની બહાર નીકળ્યા હતા.તેઓ મુંબઈ,દિલ્હી કે કોઈ મંદિરમાં ગયા હોવાના સમાચાર ખોટા છે.તેઓ ત્રણેક કલાકમાં જ હોટેલમાં પાછા આવી ગયા હતા.

શિવસેનાના કોંકણ વિસ્તારના વરિષ્ઠ નેતા દીપક કેસરકરે ગઈ કાલે કેટલાક પત્રકારો સાથે વાત કરી હતી.તેમણે કહ્યું હતું કે‘અમે મહારાષ્ટ્ર છોડવા નહોતા માગતા,પણ તમારી કારની પાછળ ૧૦૦થી ૧૫૦ લોકો દોડીને પીછો કરે તો શું કરીએ? નાછૂટકે રાજ્ય છોડવું પડ્યું છે.અત્યારની સ્થિતિમાં બીજેપી સાથે સરકાર બનાવવા સિવાયનો કોઈ વિકલ્પ નથી.ઉદ્ધવ ઠાકરેને અમે એ જ કહીએ છીએ.જો તેઓ આ માટે માની જાય તો તેમની સામે એકનાથ શિંદે સહિત કોઈને કોઈ જ વાંધો નથી.’

અત્યારે ગુવાહાટીની રેડિસન બ્લુ હોટેલમાં કેટલા વિધાનસભ્યો છે વિશે દીપક કેસરકરે કહ્યું હતું કે‘અત્યારે શિવસેનાના ૩૮ અને ૧૨ અપક્ષ વિધાનસભ્યો અમારી સાથે છે.કેટલાક વિધાનસભ્યો અહીં પહોંચી રહ્યા છે.કોંકણના નેતાએ કહ્યું હતું કે‘પક્ષ દ્વારા ૧૨ વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એની કાનૂની સલાહ લઈ રહ્યા છીએ.અમે ૩૭ વિધાનસભ્યોની સહી સાથેનો પત્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝીરવાલને સોંપ્યો છે અને અજય ચૌધરીની વિધાનસભાના ગટ નેતા તરીકેની નિયુક્તિ ગેરકાયદે હોવાનું કહ્યું છે.આ વિશે કોઈ પગલાં નહીં લેવાય તો કોર્ટમાં જઈશું.’

આજથી દેશમાં મહત્વના 9 નિયમોમાં બદલાવ
મુંબઈમાં કથિત સેક્સ રેકેટ ચલાવવા બદલ મુંબઈ મોડલની ધરપકડ, બે ને છોડાવવામાં આવ્યા
ધૂળેટી રમવામાં તીવ્ર ગરમી નહિ નડે, આંશિક રાહત મળશે
મોરબીમાંથી દારૂનું ગોડાઉન ઝડપી પાડતું સ્ટેટ વિજિલન્સ
ઓઢવના પોલીસ કર્મચારીઓની લુખ્ખાગીરી વાહનચાલકને માર મારી 6 હજાર પડાવી લીધા
Share This Article
Facebook Email Print
Previous Article અંતિમ કસોટી તો વિધાનસભામાં જ
Next Article સંકટ વચ્ચે સરકારે સેંકડો કરોડો રૂપિયાના ૧૮૨ આદેશ બહાર પાડ્યાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up