ગુવાહાટી પહોંચેલા કોંકણના વરિષ્ઠ નેતા દીપક કેસરકરે એમ પણ કહ્યું કે ૧૨ વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવા બાબતે કાનૂની સલાહ લેવા માટે એકનાથ શિંદે ત્રણ કલાક હોટેલની બહાર ગયેલાએકનાથ શિંદે સાથે ગુવાહાટી પહોંચેલા કોંકણના વરિષ્ઠ નેતા દીપક કેસરકરે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘એનસીપી અને કૉન્ગ્રેસ સાથેના ગઠબંધનમાંથી બહાર પડે તો ઉદ્ધવ ઠાકરે સાથે અમને કોઈ વાંધો નથી.
અમે હવે એટલે દૂર નીકળી ગયા છીએ કે પાછું વળવું મુશ્કેલ છે.પક્ષ દ્વારા ૧૨ વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે એ વિશે કાયદાકીય સલાહ લેવા માટે એકનાથ શિંદે આસામના વિધાનસભ્ય અને વકીલને મળવા માટે હોટેલની બહાર નીકળ્યા હતા.તેઓ મુંબઈ,દિલ્હી કે કોઈ મંદિરમાં ગયા હોવાના સમાચાર ખોટા છે.તેઓ ત્રણેક કલાકમાં જ હોટેલમાં પાછા આવી ગયા હતા.
શિવસેનાના કોંકણ વિસ્તારના વરિષ્ઠ નેતા દીપક કેસરકરે ગઈ કાલે કેટલાક પત્રકારો સાથે વાત કરી હતી.તેમણે કહ્યું હતું કે‘અમે મહારાષ્ટ્ર છોડવા નહોતા માગતા,પણ તમારી કારની પાછળ ૧૦૦થી ૧૫૦ લોકો દોડીને પીછો કરે તો શું કરીએ? નાછૂટકે રાજ્ય છોડવું પડ્યું છે.અત્યારની સ્થિતિમાં બીજેપી સાથે સરકાર બનાવવા સિવાયનો કોઈ વિકલ્પ નથી.ઉદ્ધવ ઠાકરેને અમે એ જ કહીએ છીએ.જો તેઓ આ માટે માની જાય તો તેમની સામે એકનાથ શિંદે સહિત કોઈને કોઈ જ વાંધો નથી.’
અત્યારે ગુવાહાટીની રેડિસન બ્લુ હોટેલમાં કેટલા વિધાનસભ્યો છે વિશે દીપક કેસરકરે કહ્યું હતું કે‘અત્યારે શિવસેનાના ૩૮ અને ૧૨ અપક્ષ વિધાનસભ્યો અમારી સાથે છે.કેટલાક વિધાનસભ્યો અહીં પહોંચી રહ્યા છે.કોંકણના નેતાએ કહ્યું હતું કે‘પક્ષ દ્વારા ૧૨ વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એની કાનૂની સલાહ લઈ રહ્યા છીએ.અમે ૩૭ વિધાનસભ્યોની સહી સાથેનો પત્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝીરવાલને સોંપ્યો છે અને અજય ચૌધરીની વિધાનસભાના ગટ નેતા તરીકેની નિયુક્તિ ગેરકાયદે હોવાનું કહ્યું છે.આ વિશે કોઈ પગલાં નહીં લેવાય તો કોર્ટમાં જઈશું.’