ભુજ : કચ્છમાં હાલે પાણીની તંગી વર્તાઈ રહી છે.જિલ્લાનું મુખ્યમથક ભુજ નર્મદા પર આધારીત છે ત્યારે છેલ્લા એક સપ્તાહથી પાણીનું વિતરણ ખોરવાતા ભુજવાસીઓ તંગી સામે ઝઝુમી રહ્યા છે.બીજીતરફ વહીવટીંતંત્ર અને સુધરાઈ નિષ્ક્રીયતાના કારણે પાણી ચોરોને જલસા છે.
આ અંગે કોંગ્રેસે જણાવ્યું હતું કે, ભુજ નર્મદા આધારીત હોવાથી બે દિવસ પણ નર્મદાનું પાણી ન મળે તો લોકોને પાણી વિતરણનો ગાળો સપ્તાહ લંબાઈ જાય છે.તે સ્થિતીમાં પાણી વેરા ભરવા છતાં લોકોને મહિનામાં માંડ ૩ થી ૪ વાર પાણી નસીબ થાય છે.પાલિકા પહેલાથી જ ૩ થી ૪ દિવસે પાણી આપે છે.કેટલાક વિસ્તારમાં પણ સપ્તાહમાં એકવાર પાણી પહોંચે છે.પરંતુ બીજીતરફ ભુજમાં આવી નર્મદાની લાઈનમાં ચોરી કરનારા તત્વો સામે તપાસ કરવા કોઈ કાર્યવાહી કરાતી નથી.અગાઉ નખત્રાણા પંથકમાં નર્મદાલાઈનમાંથી ગેરકાયદેસર કનેકશનો તંત્રે પકડી પાડયા હતા.ત્યારે ભુજશહેરમાં આવા જ કનેકશનો લેનારા શખ્સો પર તંત્ર કેમ કૃપાદષ્ટિ રાખી બેઠું છે ત ે સવાલ ઉપસ્થિત થયો છે.અગાઉ કલેકટરે ગેરકાયદે કનેકશનો શોધીને તેના પર ધોંસ બોલાવવા આદેશ જારી કર્યા હતા. પરંતુ સુધરાઈ ્દ્વારા આવી કોઈ કામગીરી જ કરાઈ નથી.આમ, સત્તાધીશોની રહેમનજર હેઠળ હજુપણ શહેરન ી ભાગોળે અનેક વાડીઓ લહેરાઈ રહી છે.અગાઉ આ મુદે કોંગ્રેસે પણ પુરાવા સહિત અનેક રજુઆત કરી ચુક્યું છે પરંતુ નિંભર પાલિકાના પદાધિકારી કામગીરી કરી રહ્યા નથી.તેથી લોકો ફીટકાર વરસાવી રહ્યા છે.કચ્છની મુખ્યકેનાલમાંથી અનેક ભુતિયા કનેકશનો દુર કરાયા છે તેમજ અન્ય તાલુકામાં પણ સરકારી બાબુઓ અને જવાબદાર તંત્રે કામગીરી કરી છે ત્યારે ભુજમાં શા માટે નથી કરાતી તે સવાલ કોંગ્રેસે પુછ્યો છે.વર્ષોથી ભુજની આસપાસ પાણીચોરી થઈ રહી છે ત્યારે આ શખ્સો પર ફોજ દારી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.ઉપરાંત આ બદીને છાવરતા સુધરાઈના શાસકો સામે પણ પગલા ભરવા માંગ કરાઈ છે.