ભુજ: કચ્છમાં હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે.જેમાં એક વ્યક્તિ પરિવારના જ ચાર લોકોની હત્યા કરીને ફરાર થઈ ગયો છે.બનાવ બાદ એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.મળતી માહિતી પ્રમાણે કચ્છના માંડવી તાલુકાના જખણીયા ગામ ખાતે આ બનાવ બન્યો છે.જેમાં એક વ્યક્તિએ તેની પત્ની અને ત્રણ બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા છે.ચારેયની હત્યા બાદ આરોપી પતિ ફરાર થઈ ગયો છે. ગામમાં એક સાથે ચાર ચાર હત્યા થતાં ચકચાર મચી જવા પામી છે. હત્યાના બનાવથી ગામમાં જાણે કે સોપો પડી ગયો હતો.
મળતી માહિતી પ્રમાણે પિતાએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ત્રણેય સંતાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.જ્યારે પત્નીને ઝેર આપી દીધું હતું.હત્યા બાદ આરોપી જંગલ વિસ્તારમાં ફરાર થઈ ગયો હતો.શા માટે હત્યા કરવામાં આવી છે તેના વિશે હાલ પોલીસ તપાસ કરી રહી છે. આરોપીનું નામ જખુભાઈ ઉર્ફે શીવજી પાચાણ છે.
મૃતકોમાં આરોપીની પત્ની તેમજ ત્રણ દીકરીનો સમાવેશ થાય છે.જેમં સૌથી નાની ઉંમરની દીકરીની ઉંમર બે વર્ષ છે. જ્યારે પાંચ અને 10 વર્ષની બે દીકરીઓને પણ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને પિતાએ પતાવી દીધી છે.
મૃતકોનાં નામ:
1) ભાવનાબેન (આરોપીની પત્ની)2) ધુપ્તીબેન ઉ.વ.10 (પુત્રી)
3) કીંજલબેન ઉં.વ. 5 (પુત્રી)
4) ધર્મિષ્ટાબેન ઉ.વ. 2 (પુત્રી)