– ધાર્મિક શોભાયાત્રા દરમિયાન મારામારીની ઘટના બની હતી
– પરિસ્થિતિ એટલી ભયાનક સર્જાઇ કે મારામારીમાં છરી વડે હુમલો પણ કરવા આવ્યો
કર્ણાટકના ધારવાડમાં ભાજપના એક નેતાની હત્યા કરવામાં આવી હતી.આ ઘટના બાદ રાજ્યમાં વાતાવરણ ગરમાયું છે.ગઇકાલે રાત્રે ધાર્મિક શોભાયાત્રા દરમિયાન મારામારીની ઘટના બની હતી.જ્યાં પરિસ્થિતિ એટલી ભયાનક સર્જાઇ કે મારામારીમાં છરી વડે હુમલો પણ કરવા આવ્યો હતો.જેના કારણે ત્યાંની પરિસ્થિતિ ગંભીર બની હતી. આ ઘટના બાદ પોલીસે ચાર શકમંદોની અટકાયત કરી છે.
મારામારીની ઘટના વચ્ચે ચાકૂ મારી કરાઈ હત્યા
સૂત્રો પરથી મળતી મહિતી અનુસાર, ગત રાત્રે ધારવાડમાં એક ધાર્મિક શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી,જેમાં બે લોકો નશામાં ધૂત હાલતમાં હતા.જ્યારે સરઘસમાં સામેલ લોકોએ વાંધો ઉઠાવ્યો તો બંને છોકરાઓ તેમના જૂથના છોકરાઓને સાથે આવ્યા અને મારપીટ કરવા લાગ્યા.આ દરમિયાનમાં વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહેલા પંચાયતના નેતા પર કોઈએ ચાકૂ મારી દીધું.જેના કારણે આ નેતાનું મોત નીપજ્યું.આ ઘટના અંગેની પોલીસને જાણ થતાં તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.