નવી દિલ્હી : દિલ્હીની કોર્ટે ટેરર ફંડિગ કેસમાં જમ્મુ અને કાશ્મીરના ભાગલાવાદી અને આતંકી પ્રવૃત્તિમાં સંડોવાયેલા JKLFના યાસીન મલિકને આજીવન કેદની સજા ફટકારી છે.સરકારે આ ત્રાસવાદી નેતાને મૃત્યુદંડની સજા કરવાની માગણી કરી હતી.કોર્ટે સજાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ગુનાઓનો હેતુ ભારતની મૂળ ભાવના પર પ્રહાર કરવાનો તથા ભારતથી જમ્મુ-કાશ્મીરના બળજબરીથી છીનવી લેવાનો હતો.કોર્ટે ગુનાહિત કાવતરુ,ભારત સરકાર સાથે યુદ્ધ છેડવું,ત્રાસવાદ,ત્રાસવાદનું ષડયંત્ર અને ત્રાસવાદી ગ્રૂપના સભ્ય એમ પ્રત્યેક ગુના માટે 10 વર્ષની જેલની સજા કરી છે.આ ઉપરાંત તેને ~10 લાખનો દંડ પણ ફટકારાયો છે.સ્પેશ્યલ જજ પ્રવીન સિંઘે જણાવ્યું હતું કે ગુનાઓ વધુ ગંભીર બને છે,કારણ કે વિદેશી સત્તાઓ અને પ્રતિબંધિત ત્રાસવાદીઓ મદદથી તે આચરવામાં આવ્યા હતા.ગુનાની ગંભીરતા એ હકીકતથી વધુ ઘેરી બને છે કે કથિત શાંતિપૂર્ણ રાજકીય આંદોલનના બહાને આ ગુના આચરવામાં આવ્યા છે.જે રીતે ગુના કરવામાં આવ્યા તે એક ષડયંત્ર હતું.તેના ગુનામાં લોકોને ભડકાવાના,પથ્થમારો કરવાના અને મોટાપાયે હિંસા ફેલાવીને સરકારી તંત્રને ઠપ કરવાનો સમાવેશ થાય છે.
કોર્ટે જણાવ્યું હતું કે મલિકના ગુના સુપ્રીમ કોર્ટે નિર્ધારિત કરેલા રેરેસ્ટ ઓફ રેર કેસમાં આવતો નથી,તેથી ફાંસીની સજા કરી શકાય નહીં.ભારત સરકાર સામે યુદ્ધ છેડવું(કલમ 121)અને ત્રાસવાદી કૃત્યુ માટે ભંડોળ એકત્ર કરવું(યુએપીએની કલમ 17)હેઠળના બે ગુના હેઠળ આજીવન કેદની સજા ફટકારી છે.મલિકે જણાવ્યું હતું કે અટલ બિહારી વાજપેયીના સમયગાળા સુધી તે તમામ વડાપ્રધાનોને મળ્યો છે અને રાજકીય મંચ આપ્યો હતો.
ભારત સરકારે ભારત અને ભારતની બહાર અભિપ્રાય વ્યક્ત કરવા તેમને પ્લેટફોર્મ આપ્યું હતું.જોકે બુરહાન વાણીના મોત બાદ તરત તેની ધરપકડ કરવામાં આવી હતી અને તે નવેમ્બર 2016થી જેલમાં છે.તેથી તેને હિંસક દેખાવો કર્યા નથી. એનઆઇએ જણાવ્યું હતું કે મલીક કાશ્મીર પંડિતોના નરસંહાર અને સ્થળાંતર માટે જવાબદાર છે.

