દેશના વિવિધ શહેરોમાં ઝડપથી ફેલાતા કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી સંક્રમણની ચેઈનને તોડવા માટે જિલ્લા તેમજ પ્રદેશ,સ્થાનિક અને કેન્દ્રિત કન્ટેન્ટ નેટવર્કની વ્યૂહરચના પર કામ કરવા કહ્યું છે.
તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથેની વાતચીતમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કન્ટેન્ટ ઝોન અંગે કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા સુચનોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે જિલ્લા અધિકારીઓ 14 દિવસના પ્રતિબંધને લાગુ કરવાની રણનીતિ પર કામ કરે. છેલ્લા કેટલાક દિવસોમાં કોવિડ -19 ના કેસો ઝડપથી વધી ગયા છે.તેમણે કહ્યું કે આ વાતને ધ્યાનમાં રાખીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ તાત્કાલિક ધોરણે કોવિડને નિયંત્રણમાં લેવા માટે કડક નિયમોનું પાલન કરવું જરૂરી છે.કેન્દ્ર દ્વારા કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સંક્રમણનો દર એક અઠવાડિયા કરતા વધુ સમય માટે 10 ટકાથી વધુ આવે,ઓક્સીજન સપોર્ટેડ અથવા તો આઈસીયૂ બેડ 60 ટકાથી ભરાઈ ગયા હોય ત્યાં ઓછામાં ઓછા 14 દિવસ માટે કડક પ્રતિબંધો લાગુ કરવા પડશે.આ પ્રતિબંધોમાં નીચે દર્શાવ્યા મુજબના હશે.
1. આવશ્યક ગતિવિધિઓ સિવાય રાત્રે થતી ગતિવિધિ પર સંપૂર્ણ પ્રતિબંધ
2. સામાજિક, રાજનીતિક, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક સહિતના તમામ સમારોહ પર પ્રતિબંધ
3. લગ્નમાં માત્ર 50 લોકોની હાજરી અને અંતિમ સંસ્કારમાં 20 લોકોની છૂટ
4. શોપિંગ કોમ્પ્લેક્સ, થિયેટર, રેસ્ટોરન્ટ, બાર, જિમ, સ્પા, સ્વિમિંગ પૂલ અને ધાર્મિક સ્થળ બંધ રહેશે.
5. માત્ર આવશ્યક સેવાઓને છૂટ

