ક્વાલિટીના ડાયરેક્ટરોની સંપત્તિ ટાંચમાં લેવાનો CBI કોર્ટનો આદેશ

HM News
1 Min Read

– રૂ. 1400 કરોડની બેંક છેતરપિંડીનો કેસ
– વસંત વિહાર,પંજાબી બાગ પૂર્વ અને બસઇ દારાપુર ગામમાં આવેલી કુલ 40 કરોડની સંપત્તિ ટાંચમાં લેવાશે

નવી દિલ્હી : ડેરી સેક્ટરની અગ્રણી કંપની ક્વોલિટી લિમિટેડના પૂર્વ ડાયરેક્ટરોની સંપત્તિ ટાંચમાં લેવાનો આદેશ આપ્યો છે.આ કંપની ૧૪૦૦ કરોડ રૂપિયાની બેંક છેતરપિંડીના આરોપોનો સામનો કરી રહી છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે કોર્ટે વસંત વિહાર, પંજાબી બાગ પૂર્વ અને બસઇ દારાપુર ગામમાં આવેલી સંપત્તિને ટાંચમાં લેવાનો આદેશ આપ્યો હતો. જેની કીંમત ૪૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)ની એક વિશેષ કોર્ટે કેન્દ્રીય એજન્સીની એક અરજી પર ઉપ રજિસ્ટ્રારને આદેશ આપ્યો છે કે તે આ તમામ સંપત્તિઓને કોઇ અન્યના નામે સ્થળાંતરિત કરવા અથવા રજિસ્ટર્ડ કરવાની મંજૂરી આપવામાં ન આવે.તેમણે જણાવ્યું હતું કે સીબીઆઇએ અરજી કરી ૨૦૧૫થી ૨૦૧૮ સુધી ખરીદવામાં આવેલી તમામ સંપત્તિ જપ્ત કરવાનો આગ્રહ કર્યો હતો.આ સમય દરમિયાન કંપનીએ લોનની ચુકવણી નહીં કરવાનું શરૂ કરી દીધું છે.

એજન્સીએ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્ત્વવાળા દસ બેંકોના જૂથની સાથે ૧૪૦૦ કરોડ રૂપિયાની વધુની છેતરપિંડીના આરોપમાં સપ્ટેમ્બર, ૨૦૨૦માં ક્વાલિટી લિમિટેડ અને તેના ડાયરેક્ટરોની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *