ગુજરાતમાં કોરોનાની તેજ રફતાર જોવા મળી રહી છે. ગઈકાલે 12000થી વધુ નવા કેસો સપાટી પર આવ્યા છે.રાજ્યમાં કોરોનાનું મૃત્યુ તાંડવ રચાયું હોય તેમ 121નો ભોગ વાઇરસે લીધો છે.કુલ સંક્રમિતોની સંખ્યા 4.28 લાખ થઈ છે.એક્ટિવ કેસ 76000ને પાર થઈ ગયા છે.મૃત્યુઆંક 5600થી વધી ગયો છે.નીચેની સપાટી તરફ જતો રિકવરી રેટ 80.82 ટકા થઈ ગયો છે.
ગુજરાતમાં ગઈકાલે કોરોના પોઝીટીવ નવા 12206 કેસો નોંધાયા છે. 121 દર્દીઓના મૃત્યુ થયા છે. 4339 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં કુલ 353 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 76147 દર્દીઓ સ્ટેબલ છે.રાજ્યનો કુલ મૃત્યુઆંક 5615 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 428178 પર પહોંચ્યો છે.રાજયમાં છેલ્લા 24 કલાકમાં સુરતમાં 25, અમદાવાદમાં 23, વડોદરામાં 13, રાજકોટમાં 12, સુરેન્દ્રનગરમાં 4, બનાસકાંઠામાં 3, ભરૂચમાં 3, ગાંધીનગરમાં 4, જામનગરમાં 6, મોરબીમાં 3, સાબરકાંઠામાં 3, અરવલ્લીમાં 2, ભાવનગરમાં 3, બોટાદમાં 2, દાહોદમાં 2, દેવભૂમિ દ્વારકામાં 2, જૂનાગઢમાં 2, મહેસાણામાં 2, પાટણમાં 2, અમરેલીમાં 1, છોટા ઉદેપુરમાં 1, ખેડામાં 1, મહિસાગરમાં 1, પંચમહાલમાં 1 દર્દીએ દમ તોડયો છે.
જિલ્લા મુજબ નોંધાયેલા કેસો
અમદાવાદ 4691, સુરત 1928, રાજકોટ 850, વડોદરા 625, મહેસાણા 485, જામનગર 483, ગાંધીનગર 323, ભાવનગર 287, બનાસકાંઠા 263, કચ્છ 176, જુનાગઢ 172, ભરૂચ 171, દાહોદ 139, પંચમહાલ 135, અમરેલી-સાબરકાંઠા 122, ખેડા-નર્મદા 121, તાપી 113, નવસારી 105, પાટણ 104, મહિસાગર 86, વલસાડ 80, સુરેન્દ્રનગર 76, મોરબી 74, અરવલ્લી 66, દેવભૂમિ દ્વારકા 62, આણંદ 58, છોટા ઉદેપુર 52, ગીર સોમનાથ 49, પોરબંદર 42, બોટાદ 14, ડાંગ 11.