– ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી અને ચૂંટણી પંચ આવ્યુ એક્શનમાં
– રાજ્યમાં ચૂંટણી ટાણે IAS અધિકારીને એક પોસ્ટથી ચૂંટણીફરજથી મુક્ત રહેવાનો વારો આવ્યો
એવુ નથી કે સોશિયલ મિડીયા માત્ર સામાન્ય માણસોને જ ક્યારેક ભારે પડી શકે છે.ક્યારેય ન વિચાર્યુ હોય એવા લોકો માટે પણ સોશિયલ મિડીયા આફત બની જતુ હોય છે.આવુ જ કંઇક થયુ IAS અધિકારી સાથે.સોશિયલ મીડિયામાં પબ્લિસિટી સ્ટંટ કરતા IAS અધિકારીને ચૂંટણી પંચે ફરજમુક્ત કર્યા છે.રાજ્યમાં ચૂંટણીનો પ્રચાર-પ્રસાર જોરશોરમાં ચાલુ થઈ ગયો છે.પોલિટિકલ પાર્ટીઓ,ઉમેદવારો ઈલેક્શન કેમ્પેઈનમાં તો ચૂંટણી પંચ પણ મતદાન જાગૃતિ કરી રહ્યું છે પરંતુ ચૂંટણી સબંધિત એક અધિકારીને તેને મળેલ જવાબદારીનું સોશિયલ મીડિયામાં શૉ-ઓફ કરવા બદલ ફરજમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ ગુજરાત ચૂંટણી માટે ઈલેક્શન કમિશને બાપુનગર અને અસારવા વિધાનસભા માટે નિમેલા ઈલેક્શન ઓબ્ઝર્વરને ચૂંટણીફરજમાંથી મુક્ત કર્યા છે.ચૂંટણી પંચના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, IAS અભિષેક સિંહે ઇન્સ્ટાગ્રામ પર “પોતાના પોસ્ટિંગના ફોટા” શેર કર્યા હતા અને પોતાની આધિકારીક સ્થિતિનો ઉપયોગ ‘પબ્લિસિટી સ્ટંટ’ તરીકે કર્યો છે.ઉત્તર પ્રદેશ કેડરના IAS અધિકારી અભિષેક સિંઘને અમદાવાદમાં બે વિધાનસભા મતવિસ્તારો – બાપુનગર અને અસારવા માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.ચૂંટણી પંચનાં જણાવ્યા મુજબ તેમણે અધિકારીની ઇન્સ્ટા પોસ્ટને ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને તેથી જ તેમને જનરલ ઓબ્ઝર્વરની ફરજોમાંથી આગામી આદેશો સુધી ચૂંટણી સંબંધિત કોઈપણ ફરજમાંથી મુક્ત કરવામાં આવે છે.આ સાથે અધિકારીને આજે જ તાત્કાલિક મતવિસ્તાર છોડવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.અભિષેક સિંહની જગ્યાએ IAS અધિકારી ક્રિષ્ન બાજપાઈની આ પદ માટે નિમણૂક કરવામાં આવી છે.
કોણ છે IAS અધિકારી અભિષેક સિંહ
2011 બેચના યૂપી કેડરના IAS અધિકારી છે. તેઓ એક્ટર અને સોશિયલ કાર્યકર પણ છે.કોરોના મહામારી સમયે તેમણે લોકોની ખૂબ મદદ કરી હતી.તેમણે SIGMA નામના એક સંગઠનની શરુઆત કરીને મજૂરો માટે અભિયાન શરુ કર્યુ હતું.આ સાથે બોલિવુડ ઇન્સ્ટ્રીઝમાં જાણીતો ચહેરો છે.અભિષેક સિંહની સક્સેસ સ્ટોરી યુવાનોને પ્રેરણા આપી શકે તેવી છે.બ્રેકઅપ પછી છોકરાઓ ભણવામાં જીવ રેડી દેતા હોય છે.અહીં પણ કંઈક એવુ જ બન્યું છે.અભિષેક સિંહનું કોલેજમાં બ્રેકઅપ થયુ હતુ પછી એટલી મહેનત કરી કે UPSCની પરીક્ષા પાસ કરી અને IAS બની ગયા. IAS બન્યા પછી પણ અભિષેક સિંહનો રસ સંગીત અને અભિનયમાં જળવાઈ રહ્યો.
એક ફેશન વીકમાં રેમ્પ વૉક કર્યા પછી તે ચર્ચામાં આવ્યા હતા.સોશિયલ મીડિયા પર પણ તે ઘણાં સક્રિય છે.ઇન્સ્ટ્રાગ્રામ પર 3 મિલિયન ફ્લોવર ધરાવે છે.બી પ્રાકના ગીત દિલ તોડ કે સાથે તેમણે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.આ ગીત લોકોને ખૂબ પસંદ આવ્યુ હતું.અભિષેક સિંહે ત્યારપછી જુબિન નોટિયાલ અને બાદશાહ સાથે પણ મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે શેફાલી શાહની ફેમસ વેબ સીરિઝ દિલ્હી ક્રાઈમની બીજી સિઝનમાં અભિષેક સિંહને પણ કાસ્ટ કરવામાં આવ્યા છે.આ વેબ સીરિઝમાં પણ તે IAS અધિકારીના રોલમાં જોવા મળશે.આ સીરિઝ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રીલિઝ થવાની છે.