સૌથી વધુ ૪૯૮૪ ફરીયાદો અમદાવાદમાં: સુરતમાં ૧૯૮૦ ફરીયાદોઃ રાજકોટમાં ૧૦૪, સરકારના ઘર આંગણે ગાંધીનગરમાં ૧૪પ ફરીયાદો
ગાંધીનગર તા. ર : ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા સાથે ભાજપ સરકાર અને મુખ્યમંત્રી વિયજભાઇ રૂપાણી દ્વારા ‘સબ સલામત’ના કરાતા દાવાઓ વચ્ચે રાજયમાં દારૂની રેલમછેલ છે ગુજરાત સરકાર દ્વારા જ તેના પુરાવારૂપે વિધાનસભામાં અપાયેલી માહિતી પ્રમાણે રાજયમાં કુલ ૯૦૮૧ જેટલી ફરીયાદો દારૂના અડ્ડાઓ અને બુટલેગરો અંગે અકિલા ફરીયાદો મળી છે જેમાં સૌથી વધારે ૪૯૮૪ ફરીયાદો અમદાવાદ તથા ૧૯૮૦ ફરીયાદો સુરતમાં મળી છે જો કે છોટાઉદેપુર અને મહિસાગર જિલ્લામાં એકપણ ફરીયાદ નહી મળવા સાથે ત્રણ જિલ્લામાં ૧-ર ફરીયાદ જ મળી છે. ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોતરી દરમ્યાન કોંગ્રેસના ધારાસભ્યો દારૂના બુટલેગરો અને અડ્ડાઓની રાજય સરકારને મળેલી ફરીયાદો અંગે પ્રશ્નો પુછવામાં આવ્યા હતા તેના લેખીત જવાબમાં ગૃહ રાજય મંત્રીએ જણાવ્યું છે કે ગુજરાત રાજયમાં દારૂના બુટલેગરો તથા અડ્ડાઓ અંગે કુલ ૯૦૮૧ ફરીયાદો મળી છે. તેમાં સૌથી વધારે અમદાવાદમાં ૪૯૮૪, સુરતમાં ૧૯૮૦ ફરીયાદ મળી જયારે અમરેલીમાં ૧૧૯, ગંધીનગરમાં ૧૪૬ ગીરસોમનાથ ૧ર૮, જુનાગઢમાં ૧૯૯, ભરૂચમાં રરપ, મહેસાણામાં ૩ર૮, રાજકોટમાં ૧૦૪, વડોદરામાં રપ૮ અને સાબરકાંઠામાં કનિદૈ લાકિઅ ૧પપ ફરીયાદ મળી છ.ે સરકાર દ્વારા વધુમાં જણાવાયું છે કે છોટા ઉદેપુર અને મહીસાગરમાં ઝીરો તેમજ અરવલ્લી ડાંગમાં ર-ર અને પોરબંદરમાં માત્ર ૧ જ ફરીયાદ મળી છે. આ ઉપરાંત ૮ જિલ્લામાં ર૦ થી ઓછી તેમજ અન્ય ૮ જિલ્લાઓમાંં ર૧ થી પ૬ જેટલી ફરીયાદો મળી છે.