– કર્મચારીઓના પગાર કરવામાં પણ ભીંસ : આવક થાય કે ના થાય, ૩૫૫૦ કરોડ ચૂકવવા જ પડે : વ્યાજ માફીની માગ : કેન્દ્રએ રાહત ના આપી તો મુશ્કેલી થશે
લોકડાઉનને કારણે ગુજરાત સરકારની આવક પર પણ જોરદાર ફટકો પડો છે.સરકારે જે લોનો લીધેલી છે તેની ચૂકવણી કરવાની પણ મુશ્કેલ થઈ જતાં હવે દેવું ચૂકવવા ૧૫૦૦ કરોડ પિયા ઉછીના લીધા છે.એટલું જ નહીં, સરકારે વધુ ૧,૦૦૦ કરોડ ઉછીના લેવા પ્રક્રિયા શ કરી દીધી છે.ગુજરાત સરકાર પોતે લીધેલી વિવિધ લોન્સનો દર મહિને ૩,૫૫૦ કરોડનો હો ભરે છે,જેમાં વ્યાજ અને મુદ્દલ બંનેની ચૂકવણી આવી જાય છે.
જયારે સરકાર આ મહિને ૩,૫૫૦ કરોડ પિયા ચૂકવવા માટે ૨૫૦૦ કરોડ ઉછીના લેશે,જયારે બાકીના ૧,૦૫૦ કરોડ પિયા કેન્દ્ર સરકાર પાસેથી લેવાના નીકળતા પોતાના હિસ્સાના નાણાંથી ચૂકવવા આયોજન કરી રહી છે.લોકડાઉનને કરાણે રાય સરકારની તિજોરીને જોરદાર ફટકો પડતાં સરકારને કર્મચારીઓના પગાર કરવામાં પણ ભીંસ પડી ગઈ છે.હવે સરકાર આ મામલે કેન્દ્ર અને આરબીઆઈને જે કઈં ચૂકવણી કરવાની થાય છે તેમાં રાહત માગવા પણ વિચારી રહી છે.
એક સૂત્રના જણાવ્યા અનુસાર,બે મહિનાના લોકડાઉનમાં સરકારની આવક તળીયે પહોંચી ગઈ છે,જોકે જે લોન્સની ચૂકવણી કરવાની છે તે તો નિશ્ચિત જ છે.જો સરકારની આવક શૂન્ય થઈ જાય તો પણ તેને લોનના હા ચૂકવવા ગમે તેમ કરીને ૩.૫૫૦ કરોડ પિયાની વ્યવસ્થા તો કરવી જ પડે તેમ છે. આ મહિને પણ સરકાર ૨૫૦૦ કરોડ પિયા ઉછીના લેવાની છે.જયારે બાકીના ૧,૦૫૦ કરોડ કેન્દ્ર પાસેથી મળનારી ગ્રાંટ તેમજ વેટ પેટે થતી આવકમાંથી મેળવવામાં આવશે.
લોનના હા ચૂકવવાનું મુશ્કેલ થતાં કેન્દ્ર સરકાર અને આરબીઆઈ પાસેથી લેવાયેલી લોન્સ પર વ્યાજ માફી કે પછી તેની ચૂકવણી મોડી કરવા પણ સરકાર માગ કરી શકે છે.આ સૂત્રના જણાવ્યા અનુસાર,આ મહિને સરકારને કેન્દ્ર પાસેથી ટેકસ પેટે મળેલા નાણાંમાંથી પોતાના હિસ્સા તરીકે ૧૫૦૦ કરોડ મળ્યા છે,અને ૧૮૦૦ કરોડ ગ્રાંટ સ્વપે પ્રા થયા છે.
જેના કારણે સરકારની સ્થિતિ પ્રમાણમાં સારી છે,અને આ સિવાય ગેસ અને પેટ્રોલિયમ પ્રોડકટસ પર લેવાતા વેટ પેટે પણ સરકારને ૬૦૦ કરોડ પિયાની આવક થઈ છે.આ મહિને સરકાર કર્મચારીઓના પગાર અને લોનના હા ચૂકવવાની સ્થિતિમાં છે,પરંતુ જો આવતા મહિને કેન્દ્ર સરકાર તરફથી કોઈ રાહત ના મળી તો તેમાં મુશ્કેલી આવશે