નવી દિલ્હી, તા. 28 માર્ચ 2022 સોમવાર : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ચંદીગઢના સરકારી કર્મચારીઓ પર કેન્દ્રીય સર્વિસ નિયમ લાગુ કરવાના એલાન બાદથી રાજકારણ ગરમાયુ છે.આ નિર્ણયનો સત્તારૂઢ આમ આદમી પાર્ટી અને અન્ય દળોએ નિંદા કરી છે.કોંગ્રેસ નેતા સુખપાલ સિંહ ખૈરાએ પણ આ નિર્ણય પર આપત્તિ વ્યક્ત કરી છે.તેમણે કહ્યુ,ચંદીગઢ પર નિયંત્રણ અને પંજાબના અધિકારોને હડપવાના ભાજપના તાનાશાહી નિર્ણયની અમે કડક નિંદા કરીએ છીએ.જોકે,મુખ્યમંત્રી ભગવંત માન કે તેમના મંત્રીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે કહ્યુ કે ચંદીગઢ કેન્દ્ર શાસિત ક્ષેત્ર વહીવટીતંત્રના કર્મચારીઓની સેવા શરત હવે કેન્દ્રીય સિવિલ સેવાઓના અનુરૂપ થશે અને આનો તેમને મોટા પાયે ફાયદો થશે.તેમણે એ પણ કહ્યુ કે મહિલા કર્મચારીઓને શિશુની સારસંભાળ માટે એક વર્ષને બદલે બે વર્ષનો સમય મળશે.
આ મામલે આપના વરિષ્ઠ નેતા અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કરી, 2017થી 2022 સુધી કોંગ્રેસે પંજાબ પર શાસન કર્યુ.અમિત શાહે ત્યારે ચંદીગઢની શક્તિઓ છીનવી નથી.પંજાબમાં આપની સરકાર બનતા જ અમિત શાહે ચંદીગઢની સેવાઓ છીનવી લીધી.આપના વધતા પગલાથી ભાજપ ડરેલી છે.
શાહે કહ્યુ,હુ ચંદીગઢ વહીવટીતંત્રના કર્મચારીઓને એક સારી ખબર આપવા માગુ છુ.આજથી ચંદીગઢ વહીવટીતંત્રના કર્મચારીઓની સેવા શરત કેન્દ્રીય સિવિલ સેવાના અનુરૂપ હશે.આપને ઘણો ફાયદો થવા જઈ રહ્યો છે.
કેન્દ્રીય મંત્રીએ અહીં ચંદીગઢ પોલીસની કેટલીક પરિયોજનાઓનુ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા બાદ આ જાહેરાત કરી.શાહે કહ્યુ કે કેન્દ્ર શાસિત ક્ષેત્રમાં કર્મચારીઓની સેવાનિવૃતિની ઉંમર 58 વર્ષથી વધારીને 60 વર્ષ કરાવી દેવાઈ છે.